SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ SE શ્રી ડાકણ આવા પરમ વિનયવાન, વીતરાગના અનન્ય અનુરાગી, ચાર જ્ઞાનના જગચિંતામણિ' ધારક, ૫૦,૦૦૦ શિષ્યોના પરમગુરુ શ્રી ગૌતમસ્વામી સૂત્રની રચના પરમાત્માનાં ચરણોમાં સુવિશુદ્ધ સંયમનું પાલન કરતાં ૩૦ વર્ષ સુધી ‘છઠ્ઠના પારણે છઠ્ઠ’ કર્યા. તપ અને વીતરાગ ભક્તિને કારણે ૨૮ પ્રકારની વિશિષ્ટ લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ. મોક્ષપ્રાપ્તિની પ્રબળ ભાવનાથી સૂર્યનાં કિરણોનું અવલંબન લઈ અષ્ટાપદ ગિરિરાજની યાત્રા કરી અને ત્યાં જ ‘જગચિંતામણિ’ સૂત્રની રચના કરી હતી. પાછા વળતાં માર્ગમાં ૧૫૦૦ તાપસોને પ્રબુદ્ધ કરી પોતાની અક્ષીણ મહાનસી”ની લબ્ધિ વડે પરમાન્સ (ખીર)થી પારણાં કરાવ્યાં તે બધા જ તાપસોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ખીર તો માત્ર એક જ કટોરી જેટલી હતી, પરંતુ તેમના અંગૂઠામાં રહેલી આ લબ્ધિના પ્રભાવે ખીર ખૂટી નહીં. આવા અનંતલબ્લિનિધાન પરમગુરુ શ્રી ગૌતમસ્વામી ૫૦ વર્ષ ગૃહવાસમાં, ૩૦ વર્ષ સંયમના પર્યાયમાં તથા ૧૨ વર્ષ બાલ્યાવસ્થામાં રહ્યા. ૮૦ વર્ષે ગુણિયાજી તીર્થમાં કેવળજ્ઞાન અને ૯૨ વર્ષે રાજગૃહીમાં મોક્ષગામી થયા. આવા પરમગુરુ ગૌતમસ્વામીને આત્મભાવે વંદન. | મા ચાલો, હવે અત્યંત પ્રાચીન અને મહત્ત્વના - ત્રીજા મંદિરે દર્શન કરવા જઈએ. ત્રીજું મંદિર FUE EVLE [૧૮૫
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy