SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ |||| I II અહીં એક ‘આગમકૂવો’ પણ છે. લોકવાયકા છે કે સમ્રાટ અશોકે પોતાના ૯૯ ભાઈઓને કાપીને કૂવામાં નાખી દીધા હતા તેથી આ ‘આગમકૂવો’ કહેવાય છે. જૈન કથા મુજબ શ્રી સ્થૂલિભદ્રજીએ આગમોની વાચના એકત્રિત કરી અને ૧૧ અંગો સુવ્યવસ્થિત કર્યા હતાં, જે આજે ‘પાટલિપુત્ર વાચના” આગમકૂવો તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય સ્થૂલિભદ્રજીના નેતૃત્વ હેઠળ પાટલિપુત્રની ભૂમિ પર અગ્રણી જૈનાચાર્ય તથા વિશાળ મુનિર્વાદની ભવ્ય ઉપસ્થિતિમાં જૈન આગમો પર વિચારવિમર્શ માટે પ્રથમવાચના’ આયોજિત કરવામાં આવી હતી. આ વાચનામાં ભગવાન મહાવીરની દ્વાદશાંગ વાણીને સુવ્યવસ્થિત રૂપમાં સંકલિત કરીને સુરક્ષિત કરવામાં આવી. આ ‘આગમ-વાચના’ સર્વપ્રથમ વાર આ કૂવાની પાસેના સ્થળે થઈ હતી, માટે તે ‘આગમકૂવો’ તરીકે ઓળખાય છે. અત્યારે અહીં શીતળામાતાનું મંદિર છે. | માર્ગદર્શન : પટણા શહેરમાં એક શ્વેતાંબર અને પાંચ દિગંબર મંદિરો આવેલાં છે. ઉપરાંત લક્ષ્મીનારાયણમંદિર અને ગંગાઘાટ પણ દર્શનીય છે. જો યાત્રામાં સમય ઓછો હોય તો રાજગૃહીથી પટણા ન જતાં નાલંદા (કુંડલપુર) પણ સીધા જઈ શકાય છે. હવે પટણાથી રોડમાર્ગે ૭૦ કિ.મી.નું અંતર કાપીને રાજગૃહી થઈ, બીજું ૧૪ કિ.મી. અંતર વટાવીએ એટલે નાલંદા આવશે. તીર્થપેઢી શ્રી પટણા ગ્રુપ ઑફ જૈન શ્વેતાંબર ટેમ્પલ કમિટી | બાડાગલી, ઝાઉગંજ પોસ્ટ : પટણા સિટી-૮OOOO૮, પ્રાંત : બિહાર ફોન : ૦૬ ૧૨ - ૨૬૪૫૭૭૭ 900 Education International For Private & Personal use only www.janelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy