SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વારાણસી પંચતીર્થીનું અંતિમ સોપાન એટલે વારાણસી સ્ટેશનથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલું, શ્વેતાંબર પંચાયતી બડામંદિર. સં. ૧૮૫૦માં યતિ શ્રી કુશલાજીએ આ શિખરબંધી મંદિર બંધાવેલું. આ મંદિર રામઘાટના કિનારે મહેતા હોસ્પિટલ પાસે આવેલું છે. ત્રણ માળના રંગીન કલાત્મક રંગકામવાળા આ મંદિરમાં ૫૮ પાષાણની, ૬ ધાતુની, ૩ ચોવીસી, ૨૦ વિહરમાન તથા પટમાં પ્રતિષ્ઠિત જિનબિંબો એમ અનેક મૂર્તિઓ દર્શનીય છે. બનારસમાં આ એક જ એવું મંદિર છે જ્યાં વધારેમાં વધારે જિનબિંબો પ્રતિષ્ઠિત છે ; જેને આજે આપણે જુહારવાનાં છે. વચલા માળે ચાંદીએ મઢેલવેદિકા નીચે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે...નમો જિણાણ. મૂળનાયકની ડાબે શ્રી ચંદ્રપ્રભુ ભગવાન; જમણી બાજુ શ્રી મહાવીરસ્વામી તથા આગળની હરોળમાં ડાબી બાજુથી અનુક્રમે (૧) શ્રી નેમિનાથજી (૨) શ્રી સુપાર્શ્વનાથજી (૩) શ્રી મહાવીરસ્વામી (૪) શ્રી શાંતિનાથજી (૫) શ્રી આદિનાથજી પ્રભુને .....નમો જિહાણ, બહાર રંગમંડપમાં ડાબી બાજુ શ્રી પાર્શ્વયક્ષ તથા જમણી બાજુ ભંડારની ઉપર શ્રી ભૈરવજી બિરાજમાન છે.....પ્રણામ. / in Bihkar ગાઈ भीमरावीर स्वामी ગભારામ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સહિત જિનબિંબો મૂળનાયકની પ્રતિમાની દીવાલની પાછળની દીવાલ પર અત્યંત પ્રાચીને, હાથથી બનાવેલાં, વેજિટેબલ રંગપૂરણીથી કરેલા ભીંતચિત્રો છે; જે આશરે ૩૦૦ વર્ષ પહેલાંનું કામ છે, જેમાં પ્રભુ પાર્શ્વનાથના જીવનપ્રસંગોનાં દર્શન થાય છે. Calonnier Pale Personal
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy