SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ બિહારશરીફ Jain Education International જલમંદિર દાદાવાડી દિગંબર મંદિર ધર્મશાળા ← પાવાપુરીમાં પ્રવેશતાં નવાદા પ્રાચીન સમવસરણ મંદિર મહતાબબીબી નૂતન સમવસરણ મંદિર આરાધના મંદિર મંદિર છે. ધર્મશાળા (નિર્વાણસ્થાન) ગામમંદિર પાવાપુરીનાં દર્શનીય સ્થળોનો નક્શો ભગવાન મહાવી૨ ૭૨મા વર્ષે ચંપાપુરીથી વિહાર કરીને અહીં પધાર્યા હતા. જૈનશાસ્ત્રોમાં આ પવિત્ર નગરીને મધ્યમા પાવા’ તરીકે ઓળખાવી છે; કારણ કે એ સમયે પાવા નામની ત્રણ નગરી હતી, જેમાં એક ગોરખપુર જિલ્લામાં વાયવ્ય ખૂણામાં, બીજી હજારીબાગની આસપાસના પ્રદેશમાં અગ્નિ ખૂણામાં અને ત્રીજી પાવા બિહાર અને રાજગૃહીની પાસે – જે અત્યારની પાવાપુરી તરીકે ઓળખાય છે. વાયવ્ય તથા અગ્નિ ખૂણાની વચ્ચે સમાન અંતરે આવેલી હોવાથી તે મધ્યમા પાવા’ તરીકે પ્રસિદ્ધ થઈ. આવી ‘અપાપાપુરી’ એટલે પાપથી મુક્ત પુણ્યભૂમિ એટલે ‘પાવાપુરી’. પાવા અને પુરી બંને એક માઈલના અંતરે આવેલાં ગામ છે, જેમાં જૈન તીર્થધામ પુરી’માં છે. પાવાપુરીને ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ તરીકે દરેક જૈન સંપ્રદાયમાં નિર્વિવાદ રીતે સ્થાન મળ્યું છે. ઋજુવાલિકા નદીકિનારે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું, એ પછી તેઓ જંભિય ગામથી પાવાપુરી પધાર્યા હતા. કાળક્રમે ત્રીસ ચાતુર્માસ વિતાવ્યા પછી પ્રભુ જ્યારે અહીં ફરી પધાર્યા ત્યારે મહસેનવન’ નામના સ્થળે પ્રભુએ જીવનના અંતિમ સમયે છ તપ સાથે ૧૬ પ્રહરની એટલે કે ૪૮ કલાકની નિરંતર દેશના આપી. (જ્યાં આજનું સમવસરણ મંદિર છે.) આ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૂંથાયેલી છે; જેમાં મોતનો ભય જીતી લેવાનો, એટલું જ નહિ, પરંતુ મરીને જીવી જાણવાનો વાસ્તવિક ઉપદેશ મળે છે. એ પછી પ્રભુ હસ્તિપાલ રાજાની ‘હસ્તિશાલા’એ ગયા અને ત્યાં નશ્વર દેહનો ત્યાગ કર્યો. (જ્યાં આજનું ‘ગામમંદિર' છે.) અને જ્યાં પ્રભુનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો તે ‘જલમંદિર’ બરાબર સામે જ આવેલું છે. For Private & Personal Use Only ૧૯૫ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy