SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથના અવગાહન બાદ પ્રત્યક્ષ યાત્રાના ભાવથી આ તીર્થોમાં યાત્રાળુઓનું આવાગમન વધારી તીર્થરક્ષાનો હેતુ પરિપૂર્ણ થશે. તીર્થની પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિનું વર્ણન કરતો આ ગ્રંથ જીર્ણોદ્ધાર સમયે જિનાલયની સંપૂર્ણ રચના જાણવા માટે ઇતિહાસની દૃષ્ટિએ મદદરૂપ સાબિત થશે. આ પુસ્તક સાથે ભેટરૂપે આપવામાં આવેલું નાનું પુસ્તક ગિરિરાજની યાત્રા દરમ્યાન સાથે રાખવામાં ખૂબ ઉપયોગી બનશે. તદુપરાંત, ઓડિયોમાં ગવાયેલાં ભાવવાહી સ્તવનો ભક્તિનો ભાવપૂર્ણ કરાવશે. બહુલક્ષી હેતુથી પ્રસ્તુત કરાયેલો આ ગ્રંથ “સમે શેલ તમહં થણામિ” જિનશાસનની મોટી પ્રભાવના બની રહેશે તેવી ઇચ્છા સાથે શાસનની સેવા કરવાનું મારું એક સ્વપ્ન પૂર્ણ થશે એવી આશા રાખું છું. સમેતશિખરજી'માં પરિચયમાં આવેલ આચાર્યભ. પૂ. શ્રી વિજય જગવલ્લભસૂરિજીએ આપેલ ‘યાત્રા સ્તવનાવલી’માંથી લીધેલ તીર્થ સ્તવનો અને શિખરજીની પરિક્રમાની તસવીરો ઉપરાંત ગ્રંથના લખાણની શાસ્ત્રોક્ત ચકાસણી કરી આપવા બદલ પૂ. શ્રી લબ્ધિવલ્લભવિજયજી તથા પૂ. શ્રી દાનવલ્લભવિજયજીની હું ઋણી છું. | રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય ભ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની ભલામણથી આ તીર્થયાત્રા દરમિયાન દરેક પ્રકારની સગવડ મળી શકી તે માટે તેમની હું ઋણી છું. આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીના સમુદાયનાં સાધ્વી પૂ. જિતપ્રજ્ઞાશ્રીજી (વાગડ)નાં સુશિષ્યા સાધ્વીજી પૂજ્ય શ્રી જયદર્શનાજી મ.સા.નો પણ થોય સંગ્રહ આપવા બદલ આભાર માનું છું. ડૉ. કુમારપાળ દેસાઈ તથા શ્રી કલ્પેશ ભટ્ટ (પ્રિન્ટ વિઝન)ની આ ગ્રંથના લખાણનું મૂકવાંચન કરી આપવા બદલ આભારી છું. ઉપરાંત આ ગ્રંથમાં પોતાનાં આશીર્વચન તથા અભિપ્રાય લખી આપવા બદલ સવે ગુરુભગવંતો અને મહાનુભાવોની આભારી છું. આ કાર્ય માટે મને સતત પ્રોત્સાહિત કરનાર મારા પતિ ભૂપેન્દ્ર તથા મારી દીકરીઓ ધ્વનિ અને માનુષીનેયાદ ન કરું તો હું નગુણી કહેવાઉં કે જેમના સહકારથી આ દેદીપ્યમાન ગ્રંથનું સર્જન શક્ય બન્યું છે. - જે જીવો પોતાના શરીરની દુર્બળતા, આર્થિક પરિસ્થિતિની પ્રતિકૂળતા અથવા અન્ય સંજોગોને કારણે આ કર્તવ્યમાંથી ચૂકે છે તેમના માટે આ ગ્રંથનું અવલંબન તીર્થયાત્રા કરવા માટેનો એક મજબૂત સહારો બની રહેશે; જોકે આ સહારો પર્યાપ્ત નથી, પરંતુ આ સચિત્ર દર્શન ભાવયાત્રા કર્યા બાદ પ્રત્યક્ષ યાત્રાના ભાવ ચોક્કસ થશે જ તેવી મને શ્રદ્ધા છે.જિનઆજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો શ્રી સંઘના ચરણમાં મસ્તક મૂકીને મિચ્છામિ દુક્કડમ સાથે વિરમું છું. | ડૉ. શેફાલી શાહ (સદ્ભાવના કલા અકાદમી) આ ગ્રંથમાં પ્રાણપ્રતિષ્ઠા થયેલી જિનપ્રતિમાઓની તસવીરો આપવામાં આવી છે. સર્વે ભાવુકોને નમ્ર નિવેદન છે કે આપ જ્યારે આ ગ્રંથના અવલંબનથી | ભાવયાત્રા ક્રો અથવા તીર્થયાત્રા દરમિયાન જોડે રાખો ત્યારે કોઈ પણ પ્રકારે આશાતના ન થાય તેનું ધ્યાન રાખશો. | આ ગ્રંથ ગમે ત્યાં મૂક્યો નહીં.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy