SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર ખૂલે ત્યારે... પ્રાતઃસ્મરણીય મહાન ત્યાગી તીર્થકર ભગવંત જેવી દિવ્ય વિભૂતિઓની કલ્યાણક ભૂમિઓનું પાવનધામ એટલે પુણ્ય તીર્થભૂમિ. તીર્થકલ્પો અને તીર્થમાળાઓના મહામૂલા વર્ણનગ્રંથોના આધારે આજે આપણને એ તીર્થોનો ઇતિહાસ જાણવા મળે છે. એ વર્ણનોમાં આલેખાયેલ અષ્ટાપદ જેવાં તીર્થો સંશોધનનો વિષય બન્યાં છે. વળી, શ્રાવસ્તી, મિથિલા, કૌશાંબી, ભક્િલપુર, પુરિમતાલ (અયોધ્યા), અહિછત્રા, તક્ષશિલા, કાંગરા, ઉદયગિરિ વગેરે અનેક તીર્થો વિચ્છેદ પામ્યાં છે અથવા અન્ય ધર્મસંસ્થાઓ પાસે ચાલ્યાં ગયાં છે ત્યારે આવાં તીર્થસ્થળોની પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિ જાણીને યાત્રા કરવી જોઈએ. આ સમયે દરેક યાત્રાળુને માર્ગદર્શકરૂપ એવાં પુસ્તકોનું અવલંબન અત્યંત ઉપયોગી નીવડે છે. શ્રી સમેતશિખરજી મહાતીર્થ એટલે વર્તમાન ચોવીસીના વીસ-વીસ તીર્થકરોની પાવનીય નિર્વાણભૂમિ. આ તીર્થભૂમિ સુધી જવા માટે માર્ગમાં આવતી અનેક કલ્યાણ તીર્થભૂમિઓની સ્પર્શના કરવાનો લહાવો મળે છે. વર્તમાનમાં પૂર્વ પ્રદેશની યાત્રાએ જતા તમામ યાત્રિકો વારાણસીથી જ યાત્રાનો પ્રારંભ કરે છે, પણ માત્ર એક દિવસનો વધુ સમય ફાળવે તો અલાહાબાદ તથા તેનાથી ૬૦ કિ.મી. દૂર કૌશાંબી તીર્થની પણ યાત્રા કરી શકે. મારી શિખરજી યાત્રા દરમ્યાન ‘વારાણસીથી શિખરજી’સુધીનાં અનેક તીર્થો જેવાં કે વારાણસી, રાજગૃહી, પટણા, કુંડલપુર, પાવાપુરી, ગુણિયાજી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, ઋજુવાલિકા અને શિખરજી એમ દરેક તીર્થોની વંદનાનો લાભ મને મળ્યો. યાત્રા દરમ્યાન મેં અનુભવ્યું કે ભાવુક ભક્તોને દર્શન, ભક્તિ, માર્ગદર્શન કે માહિતી સંપૂર્ણ રીતે જોઈતાં હોય તો એક પુસ્તક તૈયાર કરવું જોઈએ. આથી આ પાવન તીર્થભૂમિઓની પ્રત્યક્ષ યાત્રા કરી જાતે અનુભવેલી વિગતોને સાક્ષાત્ કરી અત્યંત ( જહેમત ઉઠાવ્યા બાદ આ ગ્રંથ તૈયાર કર્યો છે.. ભેટ આપવા અને વસાવવા યોગ્ય આ ગ્રંથની વિશેષતા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા તથા અપંગ- અશક્ત એવા મુમુક્ષુઓનો યાત્રા કર્યાનો ભાવ પૂર્ણ થશે. ધર્મપ્રેમી જીવોને સામાયિકમાં ખૂબ ઉપયોગી થશે. છ'રીપાલિત સંઘયાત્રામાં તીર્થનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. ૫00 પાનાંમાં મલ્ટિકલરમાં આલેખાયેલા આ ગ્રંથમાંથી આશરે ૧૫00 તસવીરો વડે તીર્થ, મૂળનાયક અને અન્ય જિનબિંબોનાં દર્શનનો લાભ મળશે. યાત્રા દરમ્યાન પ્રત્યક્ષ અનુભવાયેલી વિગતોની નોંધ અને સૂચનના આધારે યાત્રિકોને સચોટ માહિતી મળશે. દરેક તીર્થના વિશેષ રીતે આલેખાયેલા સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન અને થોયની રજૂઆતનો ભાવુક જીવો ભક્તિમાં ઉપયોગ કરી શકશે. વારાણસીથી શિખરજીની સંપૂર્ણ યાત્રાનો નકશો તથા શિખરજીની ૩૧ ટૂક-દેરીની યાત્રાનો નકશો અને વિધિ સહિતદર્શનની માહિતી ઉપયોગી બનશે. શ્રી શત્રુંજયની પરિક્રમાની જેમ શ્રી શિખરજી મહાતીર્થની પરિક્રમાનું માર્ગદર્શન યાત્રાળુઓને પરિક્રમા કરવા પ્રેરશે. - 0 પ્રચલિત તીર્થોના મૂળનાયક પ્રભુજીની ભાવવાહી અસલ છબીઓનાં દર્શન અને જીવન પરિચયનો કોઠો જાણકારી વધારવા માટે ઉપયોગી બનશે.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy