SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફાતી દીવાલ પર મો. કોતરેલો મંત્ર निर्वाणालहाय तपस्वी योग्ये सुगुये अर्हत प्रतिमा प्रतिष्ठते ॥ જૈત ધર્મચક્ર સંસ્કૃત-પાલિ મિશ્રભાષાતો શ્લોક સોતગુફા ‘નિર્માલ્યકૂઈ’થી આગળ સીધા રસ્તે આવે છે; બીજા સૈકાની ‘સોનગુફા’, જે ‘ગુહાચૈત્ય’ તરીકે ઓળખાય છે. ૩૪ ફૂટ લાંબી અને ૧૭ ફૂટ પહોળી ગુફાને સાડા છ ફૂટનું પ્રવેશદ્વાર છે. એવી લોકકથા છે કે સામેની બંધ દીવાલની પાછળ ત્રણ માઈલ લાંબી ગુફામાં રાજા શ્રેણિક અને રાણી ચેલણાનો ગુપ્ત ભંડાર છુપાયેલો છે કે જ્યારે રાજા જૈન મૂર્તિઓ (ગુફા તા. ૨) શ્રેણિકનું પોતાના પુત્ર અજાતશત્રુને કારણે મૃત્યુ થાય છે ત્યારે ભયભીત બનેલી રાણી ચેલણા સર્વ સંપત્તિ મુનિ ગૌતમસ્વામીને અર્પણ કરે છે. નિર્લેપ મુનિ તેના ધનની રક્ષા માટે અહીં ગુફામાં આ સંપત્તિ બંધ કરી એક ‘મંત્ર’ લખે છે. અહીં તે મંત્ર જોઈ શકાય છે. એવું કહેવાય છે કે અંગ્રેજ સરકારના શાસનમાં પણ અહીં ખજાનો શોધવા માટે તોપ ચલાવી હતી, જેનાં નિશાન જોવામાં આવ્યાં છે. ત્યાર બાદ વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝે અહીંનાં પાણીની ચકાસણી કરી તો તેમાં ગંધક, રેડિયમ અને લોખંડનો સુમેળ જણાયો હતો. તેમણે કહ્યું કે, “જો ડાઇનામાઇટથી ગુફા તોડવામાં આવશે તો ભૂકંપ સર્જાશે અને સમગ્ર રાજગિરિનાં બધાં જ મંદિરો અને કુદરતી સૌંદર્ય નાશ પામશે !’ આથી ભારત સરકારે આ જગ્યાને એક દર્શનીય સ્થળ તરીકે વિકસાવીને આરક્ષિત કરી છે. બાજુની બીજી ગુફામાં અંદર દીવાલમાં કોતરેલી પ્રભુ પદ્મપ્રભજી, અજિતનાથજી તથા મહાવીરસ્વામીની મૂર્તિઓને વંદન કરીએ. ...તમો જિણાણ. અહીં જૈન ધર્મચક્ર પણ દેખાય છે. કહેવાય છે કે જૈનમુનિ વૈરદેવે આ ગુફામાં આત્મસાધના કરી હતી. આ ગુફાની બહારની દીવાલે ત્રીજી-ચોથી સદીની સંસ્કૃત-પાલિ મિશ્ર ભાષાનો એક શ્લોક જોવા મળે છે. આ ગુફાની બાજુમાં આવેલી ગુફા બે માળની હતી, જે ઈ.સ. ૧૯૩૪ના ભૂકંપમાં નાશ પામી. www.jainelibra |૧૬૧
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy