SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પટણા ૧૩ કિ.મી. લાંબો ગાંધીસેતુ ઘણા લીધા કિનારે વસેલું પટણા મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ ! મંગલમ્ સ્થૂલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ | બિહારનું પાટનગર એટલે પટણા. ગંગા નદીના કિનારે પાઘડી પટે વસેલા આ પાટલિપુત્ર તીર્થ સાથે અનેક જૈન ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે. મગધના મહારાજા શ્રેણિકના પુત્ર અજાતશત્રુના પુત્ર રાજા ઉદયી (ઉદયન)એ પોતાની રાણી પાટલિના નામ પરથી આ નગરનું નામ પાટલિ આપ્યું હતું અને બીજા એક પ્રમાણ અનુસાર જૈનાચાર્ય અગ્નિકાપુત્રના કપાળમાં છાયાંકિત પાટલવૃક્ષની સ્મૃતિમાં આ નગરનું નામ પાટલિપુત્ર પડ્યું હશે તેમ માનવામાં આવે છે. સંસ્કૃતમાં પાટલવૃક્ષને ગુલાબના છોડનો પર્યાય ગણવામાં આવે છે. પૂજ્યપાદ ભદ્રબાહુસ્વામી, વજસ્વામી, ઉમાસ્વાતિ અને આર્ય સુહસ્તિસૂરિ જેવા યુગપ્રધાન આચાર્ય ભગવંતોનું વિહારક્ષેત્ર આ પાટલિપુત્ર નગર ગણાયું છે. ૮૪ ચોવીસી સુધી જેનું નામ અમર થયું એવા દેઢ બ્રહ્મચર્યપાલક, અદ્વિતીય કામવિજેતા, દશ પૂર્વધર મહર્ષિ શ્રી સ્કૂલિભદ્રજીની આ પાવન કર્મભૂમિ છે. લગભગ ૨, ૨૭૫ વર્ષો પૂર્વે મહર્ષિ સ્થૂલિભદ્રજી આપાવનપાટલિપુત્રનગરીમાં થઈ ગયા..
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy