SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર બીજા માળે વચ્ચે પીળા પાષાણના શ્રી પાર્શ્વનાથજી તથા નીચેની હરોળમાં પ્રથમ શ્રી અજિતનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી વાસુપૂજ્યજી, બીજા એક શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી સુપાર્શ્વનાથજી બિરાજમાન છે. આગળ જતાં, સામેના રૂમમાં આ છે શ્રી ગોડી પાર્શ્વનાથજીની વેદિકા. જ્યાં ડાબે શ્રી શ્યામ પાર્શ્વનાથજી, જમણે શ્રી શાંતિનાથજી તથા નીચેની હરોળમાં બે બાજુ શ્રી સુપાર્શ્વનાથજી અને વચ્ચે શ્રી શાંતિનાથજી બિરાજમાન છે. સૌ જિનબિંબોને.....નમો જિણાણું કહીશું. શ્રી પાર્શ્વનાથજીની દેરી અહીં એક ગોખલામાં, મા ચક્રેશ્વરી બિરાજમાન છે....... પ્રણામ. श्रीगाड़ी पालनाबाजी-श्रीशान्तिनाथजी श्रीसुपार्श्वनाथ जी श्री शान्ति नाथ जी श्रीसुपाशवीनाथजी શ્રી ચક્રેશ્વરી દેવી શ્રી ગોડી પાર્શ્વનાથજીની દેરી દર્શન કરી મંદિરની છત ઉપર જઈએ તો રાજઘાટ-૨ અને ગંગાઘાટનાં દૃશ્યો દેખાય છે. ઘડીભર માટે એમ થાય કે અહીં કુદરતના ખોળે શાંત વાતાવરણમાં નૈર્સગિક શાંતિને માણી લઈએ. માર્ગદર્શન : વારાણસીની પંચતીર્થી અહીં પૂરી થઈ ગણાય અને હવે રાજગિરિ તરફ પ્રયાણ કરીએ. રાજગૃહી તીર્થે જવા માટે સારનાથથી સાસારામ, ઔરંગાબાદ, શેરઘાટી, ધોબી થઈને બોધિગયા જઈશું; જ્યાં મહાબોધિ મંદિર અને વિશાળ બુદ્ધ પૂર્તિ જોવા જેવી છે. અને ત્યારબાદ રાજગૃહી પહોંચીશું. રસ્તામાં દૈત્રાવીર બાબાનું ઘંટમંદિર આવે છે. જીવન Jain Education
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy