SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તીયમૃિતા વચનકણિકા - ૧. તૃ-ધાતુને ‘થક પ્રત્યય જોડવાથી તીર્થશબ્દ બન્યો છે. ૨. તીર્થના અનેક પ્રકાર છે : રામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં ‘થમ તિથ્થય' શબ્દપ્રયોગ છે – તેમાં ભાવતીર્થનો સંદર્ભ છે અર્થાત્ ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા ભગવંત છે. તારવાની માત્રા વધારે તે તીર્થ. અનાદિથી સંસારની ચાર ગતિમાં કર્મપરાધીનપણે સંસારભ્રમણ કરતા આત્માને કર્મમુક્ત કરવામાં જે નિમિત્ત બને તે તીર્થ! ભાવતીર્થમાં તીર્થકરોનાં ચરિત્ર, જિનાગમ, જિનશાસન અને રત્નત્રયીનો સમાવેશ થાય છે. ૩. તીર્થના મુખ્ય બે પ્રકાર છે : (૧) જંગમ તીર્થ (૨) સ્થાવર તીર્થ -જંગમ તીર્થ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) એ જંગમ તીર્થ છે, કારણ કે તેઓ હરતા-ફરતા તીર્થ સમાન છે. સ્વદેહે વિચરતા તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, ગણધર - ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આદિ ગુરુ ભગવંતો એ જંગમ તીર્થ છે. ક સ્થાવર તીર્થ : જિનાલય, જિનબિંબ, જિનાગમ (જ્ઞાન), સિદ્ધાચલ, ગિરનાર આદિ પવિત્ર તીર્થધામો તે સ્થિર રહેનારાં સ્થાવર તીર્થ છે. ૪. નંવિંatત્ર નામ તિહ્યું : અહીં તીર્થ શબ્દપ્રયોગ દ્વારા સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે જિનબિંબો છે તેને વંદન કરવાનો ઉલ્લેખ થયો છે અર્થાત્ જે કોઈ નામરૂપી તીર્થ છે તેની વંદના કરી છે. ૫. પૂજ્ય આચાર્ય યશોભદ્રસૂરિકૃત મહાવીરસ્વામી પંચકલ્યાણક પૂજામાં આવતી દીક્ષા કલ્યાણકની - પૂજામાં કવિ જણાવે છે કે, “જય જય નંદા, જય જય ભદ્દા, ધરમ તીરથ તુમે થાપો રે; | બૂઝો બૂઝો એ ત્રિભુવન નાયક જગજાના દુઃખ કાપો રે...” ૬, તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ જીવો પંદર રીતે સિદ્ધિપદને પામે છે. તીર્થકરો જિનસિદ્ધ કહેવાય છે. તેમના ગણધરો અને કેવળજ્ઞાની આત્માઓ તીર્થકર પદવી વગર સિદ્ધિપદને પામે છે. વળી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આદિ સિદ્ધિપદને પામે તો તે પણ તીર્થસિદ્ધ કહેવાય છે. મરુદેવી માતા અતીર્થસિદ્ધ કહેવાય છે, કારણ જ્યારે માતા હાથી પર બેસી પુત્ર ઋષભદેવની ઋદ્ધિ-સમૃદ્ધિ જોવા જતાં હતાં ત્યારે માર્ગમાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્યથી કેવળજ્ઞાન પામીને સિદ્ધિગતિને વર્યા હતાં. આ વખતે પ્રભુએ તીર્થની સ્થાપના કરી ન હતી, તેથી મરુદેવી માતા અતીર્થસિદ્ધ ગણાય છે. ૭. સકલાડહંતસ્તોત્રની ૨૯મી ગાથામાં ‘વીરા-ત્તીર્થમિદં પ્રવૃત્તમતુ«' વર્તમાનમાં મહાવીર પ્રભુએ તીર્થની સ્થાપના કરી છે. અજિતશાંતિસ્તોત્રની ૧૮મી ગાથામાં ‘તિથ્થર પવત્તય’ શબ્દોમાં ઉત્તમ તીર્થને પ્રવર્તનારા એમ અર્થ છે.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy