SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧. ૮. શ્રી તીર્થકર ભગવંતોના કલ્યાણકના દિવસોમાં તીર્થયાત્રાનું આરાધન કરવાથી આત્માને વિશેષ | લાભ મળે છે. શ્રાવકોએ ઓછામાં ઓછી વર્ષમાં એકવખત તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. તીર્થયાગ્રા માટેનું માર્ગદર્શના છ'રી પાલક સંઘયાત્રા : પરમાત્માએ (૧) સાધુ (૨) સાધ્વી (૩) શ્રાવક (૪) શ્રાવિકા - આ ચાર અંગોને સંઘ તરીકે ઓળખાવ્યાં છે. ઋષભદેવ ભગવાનની સ્તુતિમાં કહેલ છે : ‘ઋષભ કહે સુણો ભરતજીરાય, છ'રી પાલતા જે નર જાય, પાતિક ભૂકો થાય.’ છ’રી એટલે છ નિયમનું પાલન કરી યાત્રા કરવી. (૧) ગરપાદચારી : ગુરુના પગલે પગલે ચાલવું. કોઈ પણ જીવની કિલામણા કે હિંસા ન થઈ જાય એવી સાવધાનીપૂર્વક નીચે જોઈને ચાલવું. ઉઘાડે પગે વિહાર કરવો, વાહનનો ઉપયોગ ન કરવો. (૨) ભૂમિસંથારી : ભૂમિ પર ઉત્તરપટ્ટો પાથરીને સૂવું. દિવસભરના પરિશ્રમથી થાકી ગયેલા શરીરને આરામ આપવા માટે રાત્રે જમીન પર સંથારો પાથરીને નમસ્કાર મહામંત્રના મંગલ સ્મરણપૂર્વક શુભવિચારોમાં મગ્ન થઈને સૂવું. (૩) બ્રહ્મચર્ય : સંપૂર્ણ મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. (૪) સચિત પરિહારી : સચિત્તનો સર્વથા ત્યાગ કરવો. કાચાં (રાંધ્યા વિનાનાં) શાકભાજી, ધાન્ય, કાચાં ફળો કે સમારેલાં ફળો પણ ૪૮ મિનિટ સુધીના સચિત્ત (સજીવ) હોવાથી તેઓનો ઉપયોગ ન કરવો. કાચા પાણીનો ત્યાગ કરવો. (૫) એકલ આહારી: એકાસણ તપ આરાધવું. ૨૪ કલાકમાં એક ટંક આહાર લેવો. એક જ સ્થાને સ્થિર બેસી ભોજન કરવું. (૬) આવશ્યક્કારી : અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન આદિ ધર્મના આનંદમાં અભિવૃદ્ધિ કરનારા આવશ્યક ધર્મકરણીઓનું વિશુદ્ધ પાલન કરવું. अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति । तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ (અર્થાતુ અન્ય કોઈ પણ ક્ષેત્રે કરેલું પાપ તીર્થનાં દર્શન કરવાથી નાશ પામે છે, પરંતુ તીર્થક્ષેત્રમાં થયેલું. પાપ ક્યારેય નાશ પામતું નથી તે પથ્થર પર લખાયેલ અને કદી ન ભૂંસાય તેવી પંક્તિ સમાન છે.) ૩.] સમગ્ર તીર્થયાત્રા દરમિયાન એક એવી થેલી જુદી તૈયાર રાખવી કે જેમાં પાતળો ટુવાલ, સેવાની એક જોડ, કેસર, બરાસ, રૂમાલ, ફળ, નૈવેદ્ય, સુખડનો ટુકડો, વાસક્ષેપ, ધૂપ, છૂટા પૈસા, સ્તવનની ચોપડી હોય જેથી, કોઈ તીર્થે વહેલા-મોડા પહોચો તો સેવાની (હાથવગી) થેલી લઈને પ્રભુની સેવાપૂજા થઈ શકે. તીર્થયાત્રામાં તપ, પૂજા, સાધર્મિક ભક્તિ, દાન, બ્રહ્મચર્ય, નવકારશી અને ચોવિહારનું પચ્ચકખાણ યથાશક્તિ કરવું જોઈએ. દેવદર્શન, પૂજા, સ્નાત્ર કોઈને પણ અંતરાય ન થાય તેવી રીતે કરવાં. બિહારમાં ખૂબ ગરીબી છે, તેથી વધારાનાં હોય તેવાં કપડાં, વાસણ તથા અનાજ (ચોખા)નું દાન કરવું. દરેક તીર્થક્ષેત્રમાં અને સાતક્ષેત્રમાં યથાશક્તિ દાન નોંધાવવું. [૧૭]
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy