SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છઘ0 (છ એટલે આત્મા, છદ્મ એટલે કર્મની વર્ગણા, જી એટલે એમાં રહેલ – જે આત્મામાં વર્ગણા રહેલ છે તેવી) અર્થાત શુદ્ધ આત્મજ્ઞાન યોગ અવસ્થા, જેને કેવળજ્ઞાન કહેવાય. ધર્મધ્યાનને શુક્લધ્યાનમાં ફેરવી ક્ષપકશ્રેણી પર ચડીને ચાર ઘાતકર્મોનો સર્વથા ક્ષય કરી પ્રભુશ્રી કેવળજ્ઞાન પામ્યા! પ્રભુની વાણી ૩૫ ગુણોથી સભર બની અને ૩૪ અતિશયોમાં શોભિત બની, દેવતાઓએ રચેલા સમવસરણમાં બાર પર્ષદા વચ્ચે બેસી નવ તત્ત્વ આદિ તત્ત્વોનો પ્રકાશ પાથર્યો. આ કેવળજ્ઞાનકલ્યાણક ભૂમિની સ્પર્શના “કષાયાદિ પ્રમાદ’ને દૂર કરવામાં પરમ નિમિત્ત બની રહો! કેવળજ્ઞાનકલ્યાણકની આરાધના ૐ હી" વર્ણ સાથે પ્રભુના નામ સાથે ‘સર્વજ્ઞાય નમઃ” એ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે. નિર્વાણલ્યાણકઃ નિર્વાણ એટલે સંસારની ચારે ગતિમાંથી મુક્તિ આયુષ્ય પૂર્ણ થતાં શૈલેષીકરણ દ્વારા મન-વચન-કાયાના યોગનો પણ નિરોધ કરી સર્વ કર્મમાંથી મુક્ત બની તીર્થંકરનો આત્મા દેહાતીત બની મોક્ષના શાશ્વત સુખ ભોગવવા સદાને માટે સિદ્ધશિલા પર બિરાજવા જવા રવાના થાય છે. મૃત્યુ એ તો જન્મેલા દરેક જીવની પ્રકૃતિ છે. એમાં પ્રચંડ પુણ્યના સ્વામી તીર્થકર પણ અપવાદ નથી એવો દિવ્ય સંદેશ આપતું તીર્થકરનું આ નિર્વાણ જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં એવાં કર્તવ્યો કરવાની પ્રેરણા આપે છે કે જેથી ફરી જન્મવાનું જ સદંતર બંધ થઈ જાય. નિર્વાણકલ્યાણક ભૂમિની સ્પર્શના ‘યોગ’ને દૂર કરાવવામાં પરમ નિમિત્ત બની રહો. પ્રભુના નિર્વાણ પછી જ્યાં પ્રભુના પવિત્ર દેહની અંતિમક્રિયા કરવામાં આવે છે તે નિર્વાણ ભૂમિ પણ પરમ પવિત્ર ગણાય છે. નિર્વાણ કલ્યાણકની આરાધના હ્રીં વર્ણ સાથે પ્રભુના નામ સાથે પારંગતાય નમઃએ રીતે મંત્રજાપ દ્વારા કરવામાં આવે છે. સમેતશિખર સમરું સદા, પૂર્વ ભારત મોઝાર, વીસ તીર્થંકર પામીઆ, મુક્તિનગર મનોહાર..( સેતા (વનાર) NSER वि.३८२००९ (૨૫ inte For Private Personal use only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy