SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ AIRIN (ઋષભદેવજી) 生 નાલંદા મ્યુઝિયમ મ્યુઝિયમના પ્રાંગણમાં આવેલો એક પ્રાચીન પટ (પ્પીનાથજી) કાઢવામાં આવે તો બૌદ્ધો પહેલાંની પ્રાચીન જૈન સામગ્રી હાથ લાગવાનો વધુ સંભવ છે. અહીં એક નાલંદા સ્તૂપ છે; જેને ‘સારિપુત્ત સમાધિ’ પણ કહે છે. સાહિત્ય અને વિદ્વાનોની ભૂમિ તરીકે ખ્યાતિ પામેલ આ વિસ્તારને સમૃદ્ધ કરવાનો યશ મુખ્યત્વે બૌદ્ધ સાધુઓને ફાળે જાય છે. નાલંદા બુદ્ધ યુનિવર્સિટીમાંથી શ્રી નાગાર્જુન, બંગાળના પં. શીલભદ્ર, શ્રી અતિશ દીપંકર, અકલંક અને નિકલંક (ભાઈઓ) જેવા કેટલાય વિદ્વાનોની દુનિયાને ભેટ મળી. અહીં જૈન મૂર્તિઓના અવશેષો આજે પણ જોવા મળે છે. આ વિશ્વવિદ્યાલયના અવશેષ જોઈને બહાર આવીએ એટલે બરાબર સામે દેખાતા મ્યુઝિયમમાં અનેક પ્રાચીન મૂર્તિઓ અને પુરાતત્ત્વની શોધખોળમાં પ્રાપ્ત થયેલ અવશેષોનો અમૂલ્ય સંગ્રહ જોવા મળે છે, જ્યાં પાલિ અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે તે નાલંદાની નવી યુનિવર્સિટી એટલે આ ‘નભ નાલંદા મહાવિહાર' પણ બાજુમાં જ છે. પટણાથી નાલંદા ૮૪ કિ.મી. અને રાજગિરિથી ૧૭કિ.મી.ના અંતરે છે. કુંડલપુર જાઓ ત્યારે નાલંદાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ૧૭૨
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy