SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ થોય વિમલ જિત જાહારો, પાપ સંતાપ વારો, શ્યામળ મહારો, વિશ્વ કીતિ વિફારો, યોજત વિસ્તારો, જાસ વાણી પ્રસારો, ગુણણણ આધારો, પુણ્યતા એ પ્રકારો. શ્રી વિમલનાથ પ્રભુ જેઠ વદ સાતમે, માસક્ષમણે, કાઉસગ્ગ ધ્યાનમાં ૬OOO મુનિવરો સાથે મધ્યરાત્રિ પહેલાં મોક્ષ પામ્યા. અહીંથી પૂર્વે ૧ ક્રોડ, ૭૬ લાખ, ૬ હજાર, ૭૪૨ મુનિવરો મોક્ષે પામ્યા છે. અહીંનું યાત્રાફળ ૧ ક્રોડપૌષધોવાસ છે. શિખરજીનાં સર્વે જિનાલયોનો અગિયારમો ઉદ્ધાર અને આ ટૂકનો જીર્ણોદ્ધાર ભરતક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિએ નહિ, પણ જંબુદ્વીપના મધ્ય ભાગે આવેલા મહાવિદેહક્ષેત્રના પૂર્વભાગમાં આવેલી કનકાવતી નગરી રાજા કનકરથે અહીં આવીને કરાવેલો છે ! સમેતશિખરજી સાથે આ રાજાને એટલો તો લગાવ થઈ ગયેલો કે સમેતશિખરજીની આ ટૂકમાં ચૌમુખી જિનાલય બંધાવ્યું અને પછી પાછા પોતાના મુકામે ગયા તો ત્યાં પણ એટલે કે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પણ વીસશિખરી દેરાસર બંધાવી વીસ જિનબિંબ સ્થાપી સમેતશિખરજી પ્રતિ કૃતકૃત્યતા અનુભવી હતી. બોલો, શ્રી વિમલનાથ પ્રભુની જય. યોલોજયોલોજયવિમલનાથ, કેમ્પિલાજીમાં કલ્યાણક ચાર, શમતશિખરજીમાણીક્ષનિવાસ જયબોલીજયોલોજયવિમલનાથ ૪૬૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy