SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુદર્શન શેઠની દેરી MAN મહર્ષિ સ્થૂલિભદ્રજીની દેરી નજીક પૂર્વ દિશામાં એક પ્રાચીન મંદિર દઢ બ્રહ્મચર્યપાલક શેઠ - સુદર્શનજીનું છે. ઇતિહાસ બોલે છે કે શેઠ સુદર્શનને ચંપાપુરીમાં અભયા રાણીના આળથી શૂળી પર - ચઢાવવામાં આવ્યા હતા, પરંતુ મહામંત્ર નવકારના પ્રભાવથી તે શૂળી સિંહાસનમાં ફેરવાઈ ગઈ. શેઠ સુદર્શને દીક્ષા લીધી અને તેઓ અહીં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેની યાદમાં અહીં એક દેરી છે, જેમાં - તેમનાં ચરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. સુદર્શન શેઠની બ્રહ્મચર્યની અડગતા આ પૃથ્વીએ વધાવી છે તેવા મહાશ્રાવકના ચરણના, નવકારમંત્રનું સ્મરણ કરી દર્શન કરીએ. આવો, પ્રાચીન પટણાની ભવ્યતાની વાતો જાણીએ. શ્રી ઉમાસ્વાતિ મહારાજે પાટલિપુત્રમાં જ ‘તત્ત્વાર્થસૂત્ર’ની રચના કરી હતી. શ્રી પાદલિપ્તસૂરિ પાટલિપુત્રમાં આવ્યા ત્યારે ત્યાંના રાજા મુફંડના માથાનો રોગ તેમણે દૂર કર્યો હતો અને તેને જૈનધમી બનાવ્યો હતો. કહેવાય છે કે પટણાના પ્રાચીન નગરને ૬૪ દરવાજા, કિલ્લાને ૫૭૦ બુરજ હતાં. વળી, કિલ્લાની આસપાસ ૩૦ હાથ ઊંડી અને ૬00 હાથ પહોળી ખાઈ હતી. આર્યવજસ્વામી વિક્રમની પહેલી શતાબ્દીમાં પટણા આવ્યા તે જ સમયે આર્ય રક્ષિતસૂરિએ અહીં આવી; જૈન સાહિત્યને ધર્મકથાનુયોગ, ચરણ કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ એ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું હતું. પટણા | શહેરના મંદિરથી એક માઈલ દૂર આવેલો શ્રી હીરવિજયસૂરિ દાદાનો બગીચો છે, જ્યાં ધર્મશાળાઓ આવેલી છે. ત્રણસો વર્ષ પહેલાં અહીંતૂપ અને પાદુકા હતી તેવી ‘તીર્થમાળા’માં નોંધ છે. પટણા સિટીથી ૧.૫ કિ.મી. અને પટણા જંકશનથી ૧૦ કિ.મી.ના અંતરે ગુરુદ્વારાની આગળ વિહરમાન શ્રી વિશાલનાથસ્વામી (૬૦સે.મી.)નું શ્રી સંઘે સં.૧૯૯૨માં બંધાવેલ ભવ્ય શિખરબંધ જિનાલય હતું, જેનો આજે પ.પૂ.આ.ભ.શ્રી રાજેશ્વરસૂરીશ્વરજીના માર્ગદર્શન હેઠળ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. બહુજન અપરિચિત - અ! ભગવાન શ્રી સીમંધરસ્વામીની જેમ વર્તમાન વીશ વિહરમાન તીર્થકરોમાંના એક છે. [૧૬૫
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy