SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડની પંચપહાડીથી નીચે ઊતરી કાકંદી તીર્થે જવાનું છે. જમુઈ થઈને ૪૦ કિ.મી.નું વિકટ | અંતર કાપીએ ત્યારે નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથનાં પ્રથમ ચાર કલ્યાણકની ભૂમિએ પહોંચાય છે. દૂરથી જોતાં આ જિનાલય લાલ પથ્થરનું લાગે છે, પરંતુ ઈંટ અને સિમેન્ટની અદ્ભુત કારીગરીથી બનાવ્યું છે. રાજા સુગ્રીવ અને માતા રામાદેવીના નંદ શ્રી પુષ્પદંતજીનો જય હો. પુંડરીકિણી નામની એક પાવનકારી નગરી હતી. તેમાં મહાપદ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને જન્મથી જ ધર્મ પ્રત્યે ખૂબ લગની હતી. તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા અને શ્રાવક ધર્મનું નિર્મળ રીતે પાલન કરતા હતા. સંસારને પાર પામવાની ઇચ્છાથી રાજાએ જગનંદ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર બાદ મહાપદ્મમુનિ દેઢપણે મહાવ્રત પાળવા લાગ્યા. તપ અને ભક્તિ વડે તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય નિર્ગમન કરી મહાપા મુનિરાજ વૈજયંત વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. - આ જ ક્ષેત્રમાં કાકંદી નામની અનુપમ અને દર્શનીય નગરી હતી. સુગ્રીવ નામનો રાજા તેમાં રાજય કરતો હતો. રાજા ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા દાખવનારા હતા. તેમને રામા નામની રાણી હતી. વૈજયંત વિમાનમાં રહેલો મહાપદ્મ મુનિરાજનો જીવ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને રામાદેવીની કુક્ષિમાં આવ્યો. રાણી રામાદેવીએ ચૌદ મહાસ્વપ્નો જોયાં. ગર્ભનો સમય પૂર્ણ થતાં કારતક વદ પાંચમના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્ર આવતાં મગરના ચિન વાળા શ્વેત વર્ણવાળા (૨૭) International For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy