SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ એવી લોકવાયકા છે કે મંદિરથી થોડે દૂર નજીક જીર્ણ હાલતમાં એક મોટું મકાન જોવા મળે છે તે સિદ્ધાર્થ રાજાનું ભવન છે. પ્રભુએ પોતાની પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલીને પણ આ જ ક્ષેત્રમાં દીક્ષા આપી હતી. | માર્ગદર્શન : અહીંયાં એક જ ધર્મશાળા હોવાથી જો મોટો સંઘ લઈને આવવાનું હોય તો રહેવા માટે અગાઉથી જણાવી દેવું પડે છે. જે યાત્રિકોને ડોળીની જરૂર હોય તેમણે અગાઉથી જણાવવું જરૂરી છે. પહાડ યાત્રા દરમિયાન દરેક યાત્રિકે કોઈ પણ જાતનું જોખમ સાથે લેવું નહીં તથા બધાની સાથે જ રહેવું. અહીં નજીકનું રેલવે સ્ટેશન લખીસરાય, જમુઈ, ફિયુલ આ ત્રણેય લછવાડથી ૩૦ કિ.મી.ના અંતરે છે. અહીંથી બસ, ટેક્સી જાય છે. લછવાડથી કુંડેઘાટ તળેટી પાંચ કિ.મી. દૂર છે, જ્યાં જીપ અથવા પોતાની ગાડીમાં જઈ શકાય છે અને તળેટીથી ક્ષત્રિયકુંડ જન્મસ્થળ મંદિર ૫ કિ.મી. છે; જ્યાં ડોળી દ્વારા ચાલીને અથવા જીપ દ્વારા જઈ શકાય છે, પરંતુ ડોળીથી અથવા ચાલીને જાત્રા કરવી વધારે યોગ્ય છે કારણ કે કુદરતી સૌંદર્યને માણી શકાય, સલામતી રહે અને ગિરિરાજ ચઢ્યાનું પુણ્ય મળે. યાત્રા બાદ દીક્ષા કલ્યાણકની દેરી પાસે ભાથાગૃહમાં યાત્રાળુઓને ભાથું વહેંચવામાં આવે છે.ગિરિરાજ પર સમૂહમાં જાત્રા કરવી અને સાંજ પહેલાં પરત આવી જવું જોઈએ. લકવાડમાં ધર્મશાળા, ભોજનશાળા ઉત્તમ છે. પહાડપર પણ સેવાપૂજા માટે ગરમ પાણીની પૂરતી વ્યવસ્થા છે. તીર્થપેઢી શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી પોસ્ટ : લછવાડ-૮૧૧૩૧૫ જિલ્લો : જમુઈ, પ્રાંત બિહાર ફોન : ૦૬ ૩૪૫-૨૮૯૧૩૩, ૨૮૯૦૪૬ Scivate & Personal l y
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy