SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઘની શ્રી શાલિભદ્ર I (હાલ રી). થભાચાં શાબી દીવાલ શ્રી શાલિભદ્વજીની નો જાણી શીલાલેશ્રી થનાજીની સ્વતંત્ર ભીતરી છે. શ્રી શાલિભદ્ર અને તેમના બનેવી શેઠ ધનાશા રાજગૃહી નગરીનાં કુબેરરત્ન હતા. શાલિભદ્ર હવેલીના સાતમા માળે ભોગ-વિલાસમાં ગળાડૂબ રહેતા. એક દિવસ આ નગરીમાં સવા લાખ સુવર્ણમુદ્રાની કિંમત ધરાવતા મહામૂલ્યવાન રત્નકંબલ લઇ એક વેપારી આવ્યો, પરંતુ તેની કિંમત સાંભળી મહારાજા શ્રેણિકે એકેય ખરીદ્યા નહીં. છેવટે વેપારી શાલિભદ્રની હવેલીએ ગયો અને ત્યાં કંબલ વેચ્યા. આ બાજુ મહારાણી ચેલણાએ રાજા. શ્રેણિકની સામે હઠ લીધી કે મને એક રત્નકંબલ લાવી આપો. રાજાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ૧૬ રત્નકંબલ બે ટુકડા થઈ શાલિભદ્રની ૩૨ પુત્રવધૂઓ વચ્ચે વહેંચાઈ ગયા છે અને તેનો સ્પર્શ વાગતો હોવાથી તે રત્નકંબલનો ઉપયોગ પુત્રવધૂઓ પગલુછણિયાં તરીકે કરે છે. આથી રાજા શાલિભદ્રજીને ત્યાં પધાર્યા. શાલિભદ્રની માતા ભદ્રાએ પુત્રને નીચે આવીને રાજાને નમસ્તે કરવા કહ્યું. શાલિભદ્ર હવેલીની બહાર જગત જોયું | ન હતું અને પોતે જ રાજા છે તેમ માનતો હતો. આથી માતાને શ્રેણિકનું જે કંઈ મૂલ્ય હોય તે આપીને ખરીદી લેવા કહ્યું, પરંતુ ભદ્રાએ સ્પષ્ટતા કરી કે તે આપણા રાજ્યના મહારાજા છે. આ ઘટના શાલિભદ્રના મનમાં એક પ્રશ્ન મૂકતી ગઈ કે “મારા પણ કોઈ નાથ છે?' એવામાં ધર્મઘોષ મુનિનો ઉપદેશ સાંભળતાં તેમને સંયમમાર્ગે જવાનો ભાવ થયો આથી માતાએ ક્રમશઃ ત્યાગના અભ્યાસની વાત સમજાવી. રાજગૃહીમાં જ વસતી શાલિભદ્રની બહેન સુભદ્રાને પોતાના ભાઈના ત્યાગનું સ્મરણ થઈ આવતાં આંખમાં આંસુ આવી ગયાં. આ જોઈ ધન્નાશાએ કહ્યું કે રોજ એક એક ત્યાગ કરવાથી શાલિભદ્રને કશું નહીં મળે, આ તો કાયરતા કહેવાય. આથી સુભદ્રાએ વળતો જવાબ આપ્યો કે કહેવું સરળ છે, ત્યાગ કરવો કઠિન છે. પત્નીનાં વેધક વચનોથી વીંધાઈને સુભદ્રા અને બીજી સાત પત્નીઓને છોડી ધનાશા ચાલી નીકળ્યા. ભગવાન મહાવીર રાજગૃહીનગરીની બહાર સમવસરણમાં હતા ત્યારે શાલિભદ્ર અને શેઠ ધનાશાએ એમની પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી. આવા સંયમઆરાધક ધન્ના-શાલિભદ્ર રાજગૃહીના વૈભારગિરિ પરથી મોક્ષે ગયાં. આ મૂર્તિઓનાં દર્શન કરી લોગસ્સનો કાઉસગ્ગ કરીશું, “સહુને અમારાં અગણિત વંદન” - એમ મનમાં લાવીનેસી સાથે બોલીઓ ની-શાલિભદ્રની જ્ય, . ૧૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy