SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચયની પાખો – ડૉ. શેફાલી શાહ શબ્દ, સ્વર, સંગીત, સંલીન અને ભક્તિનું પંચામૃત ડૉ. શેફાલીબહેન શાહ સાથેનો નાતો બે દાયકા જેટલો દીર્ઘ ગણાય અને એ પણ પંચામૃતના સંદર્ભે જ. તેમને જ્યારે પણ મળવાનું બન્યું છે ત્યારે એ મુલાકાતે મને વ્હિટમનના એક યાદગાર વિધાનનું સ્મરણ કરાવ્યું છે. વ્હિટમન કહે છે, ‘હું મને ઊજવું છું અને હું મને ગાઉં છું' આવું કહેનાર વ્હિટમનના મતે ‘હું’ નિરાકાર ઈશ્વર અને ઈશ્વરના સાકાર સ્વરૂપ જેવી પ્રકૃતિને જોડતો સેતુ છે. શેફાલીબહેન ઉત્તમ સ્વરકાર-ગાયક છે, પણ આ સ્વરકારનું અંતિમ લક્ષ્ય તો ભક્તિના માધ્યમ દ્વારા પરમપદને પામવાનું હોય એમ દેખાય છે. ગાયકીમાં પ્રભુભક્તિ ભળે ત્યારે જ હૃદયવિકાસ થાય છે અને પછી એ વિકાસ ઉત્તરોત્તર શાંતિ અને સામર્થ્ય બક્ષે છે. આવી શાંતિની અનુભૂતિ એમની ગાયકીમાં અનેક શ્રોતાઓએ અનુભવી છે. શેફાલીબહેનને સંગીતના સંસ્કાર માતુશ્રી ભાવનાબહેન તરફથી વારસામાં મળ્યા, ઉપરાંત સી.એન. વિદ્યાલયમાં અભ્યાસની સાથે સંગીતનું પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું. સ્વર્ગસ્થ પિતા ડૉ. ચીનુભાઈ કાપડિયા અને પતિ ભૂપેન્દ્રભાઈએ શેફાલીબહેનની આ શક્તિના વિકાસ માટે અવકાશ અને અનુકૂળતા જો પૂરાં ના પાડ્યાં હોત તો સંભવ છે કે શેફાલીબહેનનો સ્વર-ચંદ્ર કદાચ સોળે કળાએ ખીલી ના શક્યો હોત. સંગીતની સાથે નૃત્ય અને ચિત્રમાં પણ તેમનો કલાવિહાર આશ્ચર્ય પમાડે તેવો રહ્યો છે. અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી મેળવનાર વ્યક્તિ કલાવિશ્વમાં આટલી પારંગત હોય એ ઓછી અજાયબી નથી. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે તેમણે ગાયન વિષયમાં સતત સુવર્ણચંદ્રક મેળવીને ડૉક્ટરેટ સુધીનીડિગ્રી પ્રાપ્ત કરી છે. શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને ભક્તિ સંગીતના અનેકવિધ કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશમાં તેમણે નામના મેળવી છે. અનેક એવાર્ડ્ઝ પ્રાપ્ત કરનાર સ્વરકાર-ગાયકના માર્ગદર્શનથી સંગીત શીખતા અનેક વિદ્યાર્થીઓને દિશા સાંપડી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.૧૦-૧૧-૧૨ના સંગીત વિષયના પુસ્તકના લેખક તરીકે પણ તેમનું પદાર્પણ નોંધપાત્ર રહ્યું છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત વિશારદ' (સ્નાતક કક્ષા)ની ડિગ્રી સુધીનાં તમામ પુસ્તકો અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડ્યાં છે. સંગીત આરાધનાની સમાંતરે તેમની શબ્દ આરાધના પણ સતત પ્રવૃત્ત રહી છે. અત્યારે તમે જે પુસ્તકમાં આંખ ટેકવી છે એ દળદાર ગ્રંથ ‘સમ્મેઅ શૈલ તમહં થુણામિ' પાછળ તો તેમણે પૂરી ધીરજથી પરિશ્રમ ઉઠાવી સંગીતકારની સાથે લેખનનું પાસું મજબૂત રીતે રજૂ કર્યું છે. શેફાલીબહેન શાહે ઑડિયો કેસેટ, સીડી તથા ડીવીડીનું નિર્માણ કરી પોતાની ભક્તિ આરાધનાનો ભાવિકોને પૂરતો લાભ આપ્યો છે. તેમના નવા ઓડિયો આલબમ ‘શ્રી નવકાર વંદન ચાલીશી’નું પણ વર્ષ ૨૦૦૯ના આરંભમાં જ લોકાર્પણ થશે. ગાંધર્વ મહાવિદ્યાલયનાં પૂર્વ આચાર્યા તરીકેની તેમની સેવા સ્મરણીય છે. સ્વર-સંગીતમાં દાયકાઓથી ગળાડૂબ રહેતાં શેફાલીબહેન સ્પષ્ટપણે માને છે કે જે સંગીત પ્રભુ-પ્રીતિને ઉત્પન્ન નથી કરી શકતું તે સ્વર અધૂરો ગણાય. તે સંગીત પણ નથી, કેવળ શ્રમ છે. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં તેમના કંઠમાંથી કરુણાની ધારા સતત વહેતી જોઈ શકાય છે. તેઓ જાહેર કાર્યક્રમમાં ક્યારેક ઉચ્ચારતાં પણ હોય છે કે લય તત્ત્વ પૂર્ણતઃ વ્યાખ્યેય નથી પણ સહૃદય ચિત્તે પામવાનો આત્મનિષ્ઠ વ્યાપાર છે. શેફાલીબહેન અવાજઘડતર, સ્વરચિકિત્સા અને ધ્યાન સંગીતના વિષયોમાં સંશોધનાત્મક કાર્ય કરી રહ્યાં છે. આવાં સ્વર-સાધક અને ઈશ્વર આરાધક શેફાલીબહેનને અંતરથી વધામણાં. cation International For Private & Personal Use Only — ધૂની માંડલિયા (કવિ-પત્રકાર) www.airtell લવ
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy