SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સમેત’ (સમ+ ઇતુ) અર્થાત્, સમ્યક ભાવને પામેલો, સુંદર, પ્રશસ્ત અને તેની સાથે પર્વત શબ્દના વિવિધ પર્યાયો જોડતાં; સમેતશેલ, સમેતાચલ, સમતાચલ, મલયપર્વત, સમેતગિરિ, સમેતશિખરિ, સમેતશિખરિનું, સમાધિગિરિ, શિખરજી અને સર્વમાન્ય સમેતશિખર' તરીકે ઓળખાય છે. શિખરજી પહાડ પર જવાના અનેક રસ્તા છે. તોપાચાચીથી પગદંડીને રસ્તે માત્ર ચાર ગાઉ જ થાય છે. ચંદ્રપ્રભની દેરીથી અને શુભસ્વામી ગણધરની દેરીથી પણ ચઢાય છે, પણ અત્યારે બે રસ્તા જ પ્રસિદ્ધ છે. ઇસરી અને મધુવનથી જ બધા યાત્રી ચઢે છે. પહાડમાં અનેક ગુફા છે, પરંતુ તેમાં શ્રી ચંદ્રપ્રભની ગુફા સૌથી મોટી છે. આ તીર્થની યાત્રા કા.સુ. ૧પથી લઈને ફા.સુ.૧૫ સુધી સુખરૂપ થાય છે. આ તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ કલ્યાણકનો મેળો શ્રા.સુ.૮ના રોજ તથા ભોમિયાજીનો મેળો ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. શ્રી સમેતશિખરજી તીર્થ માટે એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે નવા મકાનના બાંધકામમાં પહાડ ઉપરની થોડી માટીનું સિમેન્ટ, રેતી સાથે મિશ્રણ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો તે મકાનમાં રહેવાથી સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. (નોંધ: સમેતશિખર ગાઇડ) . - ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથજીની આ નિર્વાણભૂમિ હોવાથી ઘણા ‘પારસનાથ પહાડ’ તરીકે પણ ઓળખે છે. અહીંની અજૈન પ્રજા પ્રભુ પાર્શ્વનાથને; પારસમણિ મહાદેવ, પારસનાથ બાબા, ભયહર પાર્શ્વનાથ, કાળિયાબાબા એમ રોજ સંભારે છે. વળી, આ સમાધિગિરિ પરથી અતીત ચોવીસીના કુલ ૨૭, ૩૪૯ જેટલા મુનિઓ અને તીર્થકરો નિર્વાણ પામ્યા છે. | વર્તમાન ચોવીસીના ૨૦ તીર્થકરો અહીંથી મોક્ષે સિધાવ્યા છે. એવું કથન છે કે, કોઈ ભવ્યજીવ ભાવસહિત આ તીર્થરાજની યાત્રા વંદના કરે તો ભવ્યજીવને ૪૯ ભવમાં જ મોક્ષગતિ પ્રાપ્ત કરાવી દે. ‘પ્રભાવકચરિત’ના આધારે બીજા સૈકાના આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ અને નવમા સૈકાના આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજી આકાશમાર્ગી વિદ્યાના આધારે આ તીર્થની યાત્રાએ રોજ આવતા અને પછી આહાર ગ્રહણ કરતા. કહેવાય છે કે અવસર્પિણી કાળના શરૂમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ વિહાર કરતાં કરતાં અહીં આવ્યા હતા. ભગવાને ધર્મદેશના આપતાં જણાવ્યું હતું કે, “આ સ્થાન પર વર્તમાન ચોવીસીમાં ૨૦ તીર્થકર નિવાણ પ્રાપ્તકરશે.” ૩૬) Jam euucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy