SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ (છંદ મંદાક્રાન્તા) જેઓ મુક્તિ વગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેહતે સાધુ સંતા; જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અર્જાત, નિત્યે મારા હૃદયકમલે આવજો શ્રી અનંત (ત્રણ ખમાસમણાં દઈ દૈત્યવંદન કરી થોય બોલીશું.) થોય (રાગ આંખ મારી ઊઘડે) અનંત અતંત તાણી, જાસ મહિમા ગવાણી, સર Gર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ ચાવાક જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. શ્રી અનંતનાથ પ્રભુ ૭000 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, ચૈત્ર સુદ પાંચમે, મધરાત પહેલાં નિર્વાણ પામ્યા. આ ટૂકનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. આ ટ્રેક ઉપરથી ૯૬ ક્રોડાકોડ, ૧૭ ક્રોડ, ૧૭ લાખ, ૧૭ હજાર, ૭00 મુનિવરો સિદ્ધિપદ પામ્યા છે. અહીંથી ડાબી બાજુ નજર કરતાં શ્રી અરનાથ પ્રભુની શ્રી નાટકગિરિ ટૂક, નીચે શ્રી મલ્લિનાથજીની શ્રી સબલગિરિ ટૂક અને જમણી બાજુ શ્રી ચંદ્રપ્રભજીની શ્રી લલિતઘટણૂક દેશ્યમાન થાય છે. આ ટૂકનો બારમો ઉદ્ધાર રાજા બાલસેને કરાવેલો હતો. તેઓ કૌશાંબીના રાજા હતા. પરંતુ રાજા હોવા છતાં સંપત્તિની ઘણી ખામી હતી. એક મુનિને પૂછતાં જિનભક્તિ તરફ વિશેષ લક્ષ્ય કેળવવા પ્રેરણા કરી. આથી રાજા જિનભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યો. - આખા એક વખત ગગનવિહારી કોઈ મુનિરાજ - આકાશમાંથી ઊતરી આવ્યા. રાજાએ - ૬ ૪. ભાવથી વંદનાદિ કર્યા. રાજાના મનોભાવ જાણી મુનિએ તેના ઉપાય તરીકે જણાવ્યું કે લાલ કપડાં, લાલ આસન, લાલ માળાથી ભગવાન શ્રી અનંતનાથસ્વામીની આરાધના કરો. રાજાએ તે મુજબ આરાધના શરૂ કરી ત્યારે અનંતનાથ પ્રભુના યક્ષ પાતાલદેવ અને યક્ષિણી અંકુશીદેવી પ્રગટ થયાં. તેમણે રાજાના હાથમાં ચિંતાહર નામનો હાર આપ્યો અને કહ્યું કે, “આ હારથી તમો જે ઇચ્છા કરશો તે મુજબ મળશે, પરંતુ સર્વપ્રથમ કલ્યાણકભૂમિ સમેતશિખર તીર્થની યાત્રા તે કરવા જજો.' રાજા આ રીતની પ્રેરણા સાંભળી હારના પ્રભાવે સમેતશિખરજી પહોંચ્યા. ઠાઠ-માઠથી પરમાત્માની ભક્તિ કરી અને અનંતનાથ પ્રભુ જે ટૂંક ઉપર નિર્વાણ પામ્યા છે તેવી સ્વયંભૂગિરિ પર ભવ્ય જિનાલય બંધાવી જીર્ણોદ્ધાર કરાવ્યો જે આજે પણ શાસ્ત્રોના પાને પ્રશંસાનાં પુષ્પોવેરી રહ્યાં છે. બોલો અનંતનાથ પ્રભુની જય. જયલીલીજયલીલી શીહનાથ અયીવ્યાજીમાં કલ્યાણકાર રીતશિરીરજીetીક્ષરિવારીક જંથલીલીજથીલીશteam (શ્રી અનંતનાથ પ્રભુની ટૂકેથી થોડા નીચે ઊતરીએ એટલે શ્રી શીતલનાથ પ્રભુની ટ્રકનાં દર્શન થાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibral૪૧૫
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy