SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ स्तुति : अर्हन्त-मजितं विश्व, कमलाकर-भास्करम् । अम्लान-केवलादर्श, संक्रान्त-जगतं स्तुवे ॥ | સ્તુતિ (રાગ : મંદાક્રાન્તા છંદ) થોય (રાગ : આંખ મારી ઊઘડે) દેખી મૂર્તિ અજિતજિતની નેત્ર મારાં ઠરે છે, વિજયા સુત વંદો, તેજથી ક્યું દિણદો, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે; શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો; આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલસે છે, મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. લહો પરમાણંદો, સેવતાં સુખ કંદો. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) શ્રી અજિતનાથ પ્રભુ ચૈત્ર સુદ પાંચમે, ૧000 મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્નમાં, દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા. આ ટૂક પરથી કુલ ૧ અબજ, ૮૦કરોડ, ૮૪ લાખ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પૌષધોપવાસનું યાત્રાફળ મળે છે. કથા છે કે, ભગીરથ રાજા એક વાર સગરમુનિને વંદન કરવા ગયા ત્યારે મુનિએ દેશના ફરમાવી તેમાં સમેતશિખર મહાતીર્થના મહિમાને રોમાંચક શૈલીમાં વર્ણવ્યો, સાથોસાથ જીર્ણોદ્ધાર માટે પણ પ્રેરણા કરી. આ સાંભળી રાજાએ સમેતશિખરજીનો ભવ્ય છ'રીપાલક સંઘ કાઢ્યો. સગરમુનિ પણ સાથે જ પધાર્યા. સમેતશિખરજી પર આવી ઇન્દ્ર મહારાજે બનાવેલા રત્નસૂપને વંદન કર્યું. સત્તરભેદી પૂજા ભણાવી અને તે જ વખતે સગરમુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાજાએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો તથા તેની અનુમોદના નિમિત્તે આ ટૂક ઉપર મોટો જિનપ્રાસાદ તથા ૨૦ જિનાલયો બનાવી તેમાં શ્રી અજિતનાથ આદિવીસ પ્રભુની ચૌમુખી પ્રતિમાઓ ભરાવી. બોલો, શ્રી અજિતનાથ પ્રભુની જય. જય બોલો જય બોલો અજિતનાથ, અયોધ્યાજીમાં કલ્યાણક ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો અજિતનાથ. ४हल Jain Education e Personal Use Only www jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy