SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગલપુર - નાથનગર - મહારગિરિ ભાગલપુર ગંગા નદીને કિનારે વસેલું શહેર છે. તે ઇસ્ટર્ન રેલવેનું મોટું જંકશન છે. અહીં સુજાગંજ લતામાં બાબુ ધનપતસિંહજીએ બંધાવેલી બગીચાવાળી વિશાળ જૈન ધર્મશાળાના આગળના ભાગમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધ જિનાલય છે. અહીં કસોટીના શ્યામવર્ણા પથ્થરમાં કોતરેલી શ્રી મલ્લિનાથજી તથા શ્રી નમિનાથજી ભગવાનની પ્રાચીન ચરણપાદુકાઓ છે. મંદિરની બહાર શ્રી સ્થૂલિભદ્રસ્વામીનાં પગલાં છે. આ પ્રાચીન પાદુકાજીની પૂર્વે મિથિલામાં બંને પ્રભુનાં જન્માદિ કલ્યાણકોની સ્મૃતિમાં સ્થાપના કરેલી, પરંતુ આજે આ તીર્થનો વિચ્છેદ થયો હોવાથી આ બંને પાદુકાઓ અહીં દેરાસરમાં પધરાવેલ છે. કહેવાય છે કે સતી સીતાનો જન્મ આ જ મિથિલામાં થયો હતો. ભાગલપુરથી બે માઈલ દૂર અને ચંપાપુરીથી એક માઈલ દૂર નાથનગર આવેલું છે. અહીં કોટીધ્વજ જાગીરદાર બાબુ સુખરાયજીએ બંધાવેલું શ્રી વાસુપૂજ્ય ભગવાનનું કાચની મીનાકારીથી સુશોભન થયેલું સુંદર દેરાસર છે. દિગંબર માન્યતા અનુસાર વાસુપૂજય ભગવાનનાં ચ્યવન અને જન્મ એમ બે કલ્યાણક અહીં મનાય છે. અહીં એક દિગંબર મંદિર છે, જે લગભગ પંદરેક વર્ષ પહેલાં બન્યું છે. નાથનગરથી ૨૪૫ કિ.મી.નું અંતર કાપીને ઋજુવાલિકા જતાં રસ્તામાં “મંદારહિલ’ આવે છે, જે ભાગલપુર સ્ટેશનથી ૨૫ માઈલ દૂર છે. આ ગામનું નામ ‘બાંસી’ છે. સ્ટેશનથી બે માઈલ દૂર મંદારગિરિ નામનો નાનો પહાડ છે. વાસુપૂજ્યસ્વામીના નિર્વાણ કલ્યાણકની સ્થાપનારૂપે બે જિનાલયો છે તેમાં ચરણપાદુકા પધરાવેલી છે. અઢારમી સદી સુધી આ તીર્થ શ્વેતાંબર જૈનોના હાથમાં હતું. એક માન્યતા પ્રમાણે વાસુપૂજ્યસ્વામીનું નિર્વાણ કલ્યાણક આ મંદારગિરિ પર જ થયું હતું. ચંપાપુરીમાં મંદારગિરિનું એક ઉદ્યાન હતું, જ્યાં પવિત્ર વાતાવરણમાં ચૌદપૂર્વી શ્રી શય્યભવસૂરિજીએ પોતાના પુત્ર મનકમુનિજી માટે ‘દશવૈકાલિક સૂત્ર'ની રચના કરી હતી. મદારગિરિ Ja 30%cation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy