SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભજ્જૈની તીર્થે દર્શન કરી અહીંથી ૧૧ કિ.મી.ના અંતરે, ગાજીપુર રોડ ઉપર જ આશાપુરા બજારથી જતાં હીરાવનપુર ગામમાં હવેલીયા ચૌરાહાથી વળીને સિંહપુરી તીર્થે જવાય છે. શ્રી શ્રેયાંસનાથ પ્રભુતા જીવન પર એક દૃષ્ટિપાત... ક્ષેમા નામની એક ઉત્તમ નગરીમાં નલિનીગુલ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ શ૨ી૨, યૌવન અને લક્ષ્મીને અસાર માનતા હતા. ધર્મબુદ્ધિવાળા રાજાએ રાજ્ય છોડી વજ્રદત્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. તપ, પરિષહ અને આરાધનાથી તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે તપસ્વી મુનિરાજ ધ્યાન ધરીને મહાશુક્ર નામના સાતમા સ્વર્ગલોકમાં ગયા. આ સમય દરમિયાન સિંહપુર નામના સુંદર અને સોહામણા નગરમાં વિષ્ણુરાજ નામના રાજા રાજ્ય સંભાળતા હતા. વિષ્ણુરાજ રાજા પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા. રાજાને વિષ્ણુ નામની રાણી હતી. એક દિવસ મહાશુક્ર દેવલોકમાંથી નલિનીગુલ્મ મુનિરાજનો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ભાદરવા વદ બારસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. કોઈ દેરાસરમાં પરંપરાગત દેવતા અધિષ્ઠિત સજ્જાની પૂજા થતી હતી, તેના ઉપર જે કોઈ બેસે તેને ઉપદ્રવ થતો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાને એ સજ્જા ઉપર બેસવાનું મન થયું. પ્રભુ માતા ત્યાં સૂઈ જતાં પરંતુ કોઈ ઉપદ્રવ ન થતો. આવા ગર્ભનો મહિમા જાણી પુત્રનું નામ શ્રેયાંસકુમાર રાખ્યું. આ ગેંડાના ચિહ્નવાળા સુવર્ણ પુત્રની યૌવન વયે કાયા એંશી ધનુષ જેટલી ઊંચી થઈ. પિતાના આગ્રહથી શ્રેયાંસકુમારે અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. શ્રેયાંસકુમારે બેતાલીસ લાખ વર્ષ સુધી રાજ્યનો કારભાર ચલાવ્યો. જ્યારે સંસારથી વિરક્ત થઈને દીક્ષા ગ્રહણ કરવા માટે શ્રેયાંસકુમાર ઉત્સુક થયા ત્યારથી તેમણે વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. ફાગણ વદ તેરસને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને શ્રી શ્રેયાંસનાથજીએ પંચમુષ્ટિ લોચ કર્યો, પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી અને તેમને તરત જ ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રેયાંસકુમારની સાથે એક હજાર રાજાઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી શ્રેયાંસનાથસ્વામીએ બે માસ સુધી છદ્મસ્થપણે વિહાર કર્યો અને પછી સહસ્રામ્રવનમાં આવ્યા. મહા મહિનાની અમાસને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છઠ્ઠું તપ સાથે શ્રેયાંસનાથસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પોતાની અંતિમ દેશનામાં તપ ધર્મનો ઉપદેશ આપ્યો. શ્રી શ્રેયાંસનાથસ્વામીને ગોશુભ નામના ગણધર સહિત છોતેર (૭૬) ગણધરો થયા. ઈશ્વર નામે યક્ષ અને માનવી નામની શાસનદેવી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી શ્રી શ્રેયાંસનાથસ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક જણાતાં તેઓએ એક હજાર મુનિવરો સાથે સમેતશિખર પર્વત ઉપર આવી અનશન કર્યું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સો સાગરોપમે ઊણા એક કોટિ સાગરોપમ પસાર થઈ ગયા પછી શ્રી શ્રેયાંસનાથસ્વામી ૮૪ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પૂર્વે સો સાગરોપમ પંચાશી હજાર બસો ત્રીસ (૮૫,૨૩૦) પૂર્વે શ્રી સમેતશિખર તીર્થ ઉપર નિર્વાણ પામી મોક્ષપદ પામ્યા. દર Edu www.jbinelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy