SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ | ( મિળિયા પાર્શ્વનાથાય નમઃ || | || શ્રી લૉહિંયાજી) &1&ાજી) નેમes | समेतशिरवरमहातीथ श्रीसम्मेलनि મધુવનના દેરાસરની ભમતીના દ્વારને શોભાવતો શિખરજીનો પટ માનવજન્મ અતિ દુર્લભ છે. અનંતાનંત પુણ્યોદયના પ્રભાવે માનવભવ પ્રાપ્ત થાય છે. પરભવના પુણ્યનું ભાથું બાંધવા પ્રત્યેક મનુષ્ય તીર્થયાત્રા કરતો હોય છે. 'यद्ध्यासितमर्हद् भिस्तद्वि तीर्थं प्रचक्षते અર્થાત અરિહંત પ્રભુએ જે ભૂમિને પવિત્ર કરી હોય તે ભૂમિ તીર્થ કહેવાય છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ ‘આત્માને તારે એ તીર્થ” એવી વ્યુત્પત્તિ કરીને તીર્થોનો મહિમા ગાયો છે. ख्यातोऽष्टापद पर्वतो गजपदः सम्मेतशैलाभिधः, श्रीमान रैवतकः प्रसिद्ध महिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोबुंदगिरिः श्री चित्रकूटादयः, स्तव श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥ જૈન ધર્મના મોટા ભાગના તીર્થકરો ઉત્તર અને પૂર્વ ભારતમાં જન્મ્યા છે અને વિચર્યા છે. એ ભૂમિની એકાંત એવી પર્વતની ગુફાઓ કે જંગલોની ઘેરી ઘટામાં તેઓએ તપ અને જ્ઞાનસાધના કરી છે. મહામોંઘા અને અણમોલ એવાં આપણાં આ તીર્થોનો મહિમા એવો અનંત ઉપકારી છે કે તેનું સ્પર્શન, દર્શન અને સ્તવન કરો, અરે! માત્ર સ્મરણ કરો તો પણ તે કલ્પના માત્રથી જ ભાવિત બનેલા પુણ્યશાળી જીવો કેટલાંય કર્મોનો ભુક્કો બોલાવી દે છે ! For Private & Personal use only [૨૧] www.jainelibrary.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy