SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આથી તો સકલતીર્થના પાઠ દ્વારા મુખ્ય તીર્થોનું સ્મરણ વાણીમાં અવારનવાર કહેતાં સાંભળીએ છીએ. શ્રી સકલતીર્થવંદનાની અગિયારમી ગાથા અનુસાર, ધન્ય છે એ પાવન તીર્થભૂમિઓને જેણે વાચારહિત સ્વરૂપે લાખો-ક્રોડો આત્માઓને આત્મશોધન અને આત્મદર્શનના મૂક ઉપદેશો આપ્યા છે; જેના કાંકરે-કાંકરે, પગલે-પગલે, શિખરે-શિખરે, દેરીએદેરીએ, ત્યાગ, તપશ્ચર્યા, તેજસ્વિતા, આત્મસમર્પણ અને આત્મશાંતિનો અલૌકિક અનુભવ થાય તેવાં તીર્થસ્થાનો જો કલ્યાણક ભૂમિ પર હોય તો તેની સ્પર્શના માત્રથી જીવન ધન્ય બની જાય છે. “સમેતશિખર વંદું જિનવીસ, અષ્ટાપદ વંદું ચોવીસ, વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર.” ૨૨] અર્થાત્ ભગવાનના કલ્યાણકના દિવસે નરકના જીવો પણ આનંદ પામે છે. એમના પવિત્ર જીવનચરિત્રનું વર્ણન કરવામાં કોણ સમર્થ હોઈ શકે! કલ્યાણકભૂમિ એટલે જ્યાં તીર્થંકર ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ એમ પાંચ કલ્યાણક થયાં હોય. આ ભૂમિ તીર્થભૂમિ બની રહી અને જે દિવસે કલ્યાણક થયું તે દિવસ પર્વ બની રહ્યો. : સંસારમાં નવા કર્મબંધનાં પાંચ કારણ છે : (૧) અજ્ઞાન (૨) મિથ્યાત્વ (૩) અવિરતિ (૪) કષાયાદિ પ્રમાદ અને (૫) યોગ કે જેને દૂર કરવામાં પરમાત્માનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ એ પાંચ કલ્યાણકો અનુક્રમે પ્રબળ નિમિત્ત બની રહે છે. ચ્યવનક્લ્યાણક : ચ્યવન અર્થાત્ અનાદિ ત્રણ ગતિ દેવ, તિર્યંચ, નરમાંથી મુક્તિ ducation International "नारका अपि मोदन्ते यस्य कल्याण पर्वसु, पवित्रं तस्य चारित्रं कोवा वर्णायितुं अमः।” For Pavale. 9. Dersonel Lise Oplu ary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy