SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પહાડની ટોચે ઉત્તર દિશામાં ૭૨ ફૂટ ઊંચું સમવસરણની રચનાકૃતિવાળું દિગંબર મંદિર દેખાય છે. અહીં પ્રભુ મહાવીરની ગેરુ રંગની | ચૌમુખી પ્રતિમા બિરાજે છે. પ્રભુ મહાવીરે આ પહાડ પર દેશના આપી હતી તેવી માન્યતા છે. સમવસરણ મંદિરનાં ૧૫૫ પગથિયાં ચઢીએ એટલે સમગ્ર રાજગિરિનાં સુંદર છે. દેશ્યો જોવા મળે છે. અહીંથી અગ્નિ ખૂણામાં બીજો પહાડ, પશ્ચિમે પાંચમો પહાડ અને પૂર્વે વિશ્વશાંતિ સ્તૂપ નજરે પડે છે. નીચેના ખંડમાં પ્રભુવીરનો જીિવનનાં ચિત્રો અને પ્રાચીન મૂર્તિદર્શનીય છે. સમવસરણ (પ્રથમ પહાડ) શ્રેણિક રાજાની જેલ મણિયાર મઠથી ૧ કિ.મી દૂર અને ઉદયગિરિથી સુવર્ણગિરિ આવતાં રસ્તામાં ખંડેર આવે છે. મહારાજા શ્રેણિકને ત્રણ પુત્રો હતા : અભયકુમાર, વારિષણ અને અજાતશત્રુ. અભયકુમાર અને વારિષણે દીક્ષા ગ્રહણ કરી, જ્યારે અજાતશત્રુએ કોઈની ચઢવણીથી પિતાને જેલમાં પૂર્યા. પોતાની ભૂલ સમજાતાં પિતાને છોડવા ગયા, પરંતુ શ્રેણિક રાજા અજાતશત્રુ પોતાને મારવા આવે છે એમ સમજી પથ્થરો સાથે માથું પછાડી મૃત્યુ પામ્યા. આ છે શ્રેણિક રાજાની જેલના અવશેષો. ૬૦ મીટરના વર્ગાકારમાં બનેલી, પાંચમી સદીમાં શોધાયેલી, ૨ મીટર પહોળી દીવાલવાળી આ જેલમાં ખોદકામ દરમ્યાન સાંકળો મળી આવી છે. પુરાતત્ત્વ વિભાગના સર્વેક્ષણ અનુસાર ત્રીજા પહાડથી પાછા વળતાં રસ્તામાં “રથચક્ર”નું સ્થાન આવે છે. અહીં ચોથી-પાંચમી શતાબ્દીમાં એટલે કે લગભગ મહાભારતકાળના સમયના રથના ચક્રનાં પૈડાંનાં નિશાન આજે પણ જોવા મળે છે. રથીસ્થાની ૧૫૮
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy