SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ રોપ-વે (રજ્જુમાર્ગ) વિશ્વશાંતિ સ્તૂપ नाम्-म्यो-हो-रे-गे क्यो સદ્ધર્મવિહાર ત્રીજા પહાડની યાત્રા કરવા જતાં રસ્તામાં ગિદ્ધકૂટ પહાડ પર આવેલા ‘વિશ્વશાંતિ સ્તૂપ' પર જવા માટે રજ્જુમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ.સ. ૧૯૬૯માં વિશ્વશાંતિ સ્તૂપના ગોળ ઘુમ્મટાકાર મંદિરમાં ચારે દિશામાં ભગવાન બુદ્ધની ચાર વિવિધ મુદ્રાની મૂર્તિઓની સ્થાપના કરવામાં છે. તેની બાજુમાં એક જાપાનીઝ મંદિર પણ છે જે ‘સદ્ધર્મવિહાર’ તરીકે ઓળખાય છે. ભારત અને જાપાનીઝ સંસ્કૃતિનો આધ્યાત્મિક સુમેળ અહીં જોઈ શકાય છે. મોટા ‘ગોંગ’ જેવા સાધન પર વાગતા ટકોરાથી સમગ્ર મંદિરમાં એક અનેરી ગુંજ પેદા થાય છે અને તેની સાથે ત્યાં વગાડી રહેલો આ માણસ એક સૂત્ર સતત બોલે છે : નામ્-મ્યો-હો-નૅ-ળે-યો. અહીં મધ્યમાં સ્તૂપની રચના છે જેને ‘સપ્તરત્ન સ્તૂપ’ કહે છે. ડાબી બાજુ ભગવાન બુદ્ધ અને જમણી બાજુ શાક્યમુનિની મૂર્તિ છે. આ ‘સદ્ધર્મવિહાર’ના મંદિરમાં લખેલું વર્ણન આ પ્રમાણે છે : ‘સદ્ધર્મપુણ્ડરીક સૂત્ર' અનુસાર, એક વાર ભગવાન બુદ્ધ જ્યારે આ ગિદ્ધકૂટ પર્વત પર ધર્મોપદેશ આપતા હતા ત્યારે આ રત્નગિરિ પર્વત પર સાત રત્નવાળો એક સ્તૂપ આકાશમાંથી અચાનક પ્રગટ્યો. તેની અંદર રહેલા ‘પ્રભૂતરત્ન’ નામના પ્રાચીન બુદ્ધે કહ્યું, “હે પ્રભુ ! હે શાક્યમુનિ ! તમે ધન્ય છો. આ સદ્ધર્મપુણ્ડરીક નામના ધર્મપર્યાયની આપે સુંદર વ્યાખ્યા કરી છે. તમારાં વચનો સત્ય સનાતન છે.’” ત્યાર પછી તે સપ્તરત્ન સ્તૂપની અંદર શાક્યમુનિ બુદ્ધે પણ આસન ગ્રહણ કર્યું અને પ્રભુરત્ન બુદ્ધની સાથે વિમર્શ કરીને અનંતકાળ સુધી ચાલે તેવું આ સૂત્ર સ્થાપિત કર્યું. આ મંદિરમાં આજે પણ સૂત્રના ગુંજારવ સાંભળવા મળે છે કે “સર્વ મનુષ્યો એક થાવ.’’ ૧૫૯ www.jain
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy