SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક વિદ્વાનોના મતે સારનાથ ખોદકામમાંથી જે લેખ પ્રાપ્ત થયો છે તેમાં “ધર્મચક્રી’ શબ્દ વંચાય છે, તે | જૈન ધર્મ સંબંધે સૂચન આપે છે. (જૈન તીર્થ સર્વસંગ્રહ, પાના નં. ૪૩૭) તે અનુસાર, “બૌદ્ધ સાહિત્યમાં ધર્મચક્રી વિશે કોઈ ઉલ્લેખ નથી, છતાં કેટલાક વિદ્વાનો આને બુદ્ધ તથાગત સમજે છે. વસ્તુતઃ ધર્માશોક એ સંપતિનું બીજું નામ છે. આમાં ધર્માશોકે બનાવેલા ધર્મનાથ ધર્મચક્રી તીર્થકરના વિહારનું સ્પષ્ટ વર્ણન છે. આ માહિતીમાંથી ફલિત થાય છે કે સારનાથ (સિંહપુરી)ના મૃગદાવ ઉદ્યાનની પ્રાચીનતા જે નિર્ધારિત કરવામાં આવી છે તેના કરતાં આગળ જઈ શકે એ હકીકત જૈનોના સાહિત્યિક ઉલ્લેખો સાથે બંધબેસતી છે, પરંતુ બૌદ્ધધર્મીઓએ લુપ્ત થયેલા ધર્મ માટે જે ધગશ બતાવી છે તેવી ધગશ ભારતના જૈનોએ બતાવી નથી. પરિણામે આજે સિંહપુરીનું જૈન મંદિર વિખૂટું પડી ગયું હોય તેવું લાગ્યા કરે છે.” જૈન ધર્મચક્ર, તીર્થકરો અને તેના સમવસરણનું આવશ્યક અંગ છે, જેના પર અંકિત થયેલો “વાનાં પ્રિય:'' શબ્દ પ્રભુ શ્રેયાંસનાથની કલ્યાણકભૂમિનો નિર્દેશ કરે છે. ૭૫ Jain Education International For Private & Persona Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy