SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ સૌને વંદન કરી મંદિરના પૃષ્ઠભાગે આ સ્મૃતિરૂપે સ્થિત શાલવૃક્ષનાં દર્શન કરીએ. કેવળજ્ઞાનની ઘટના બાદ પ્રભુએ પ્રથમ દેશના આપી હતી જે નિષ્ફળ ગઈ. (આ ઘટના જૈનદર્શનમાં ચોવીસીના દસ અચ્છેરામાંનું એક ગણાય છે.) અચ્છેરા એટલે મહાઆશ્ચર્ય. ભગવાનને કેવળજ્ઞાન થયું અને દેવોએ સમવસરણ રચ્યું; પણ આ તો દેવોની ધર્મસભા હતી એટલે કોઈ માનવજીવ ન હોવાને કારણે ચારિત્ર અંગીકાર કરવાવાળો કોઈ જીવ નહોતો ! અને આમ પ્રભુવાણી વિફળ ગઈ, કારણ કે કોઈ જીવ પ્રતિબોધ પામી શક્યો નહીં. માટે આ ઘટનાને જૈનદર્શનમાં એક અચ્છેરું (આશ્ચર્ય)ના રૂપમાં વર્ણવે છે. “અહીં (રત્ન સિંહાસન પર બેસીને દેશના દેવી વગેરે) સર્વવિરતિને યોગ્ય નથી” એવું જાણવા છતાં પણ પ્રભુએ પોતાનો કલ્પ જાણીને તે સમવસરણમાં બેસી દેશના આપી. તીર્થકરની દેશના નિષ્ફળ થાય નહીં છતાં વીર પ્રભુની પ્રથમ દેશના કોઈએ પણ વિરતિભાવ ગ્રહણ ન કરવાથી નિષ્ફળ થઈ એ આશ્ચર્ય સમજવું. (પૃષ્ઠ ૮૯, સર્ગ-૫, ત્રિષષ્ટિશલાકાપુરુષ, પર્વ- ૧૦, ભાગઃ ૪) માર્ગદર્શન : આ તીર્થની નજીકનું રેલવે સ્ટેશન ગિરિડીહ ૧૨ કિ.મી.ના અંતરે છે. ગિરિડીહથી બસ અને ટૅક્સીની સુવિધા છે. મધુવન અહીંયાંથી ૧૮ કિ.મી. દૂર છે. આ તીર્થના મંદિર સુધી બસ અને ગાડી જઈ શકે છે. રોકાવા માટે સુવિધાયુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. પ્રાચીન કૈવલ્યસ્થાને જવું મુશ્કેલ છે તેથી ઋજુવાલિકા તીર્થની પેઢીમાં સંપર્ક કરીને જઈ શકાય છે. તીથપેઢી શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી, બરાકર પોસ્ટ : પાલમો - ૮૨૫૧૦૮ જિલ્લો : ગિરિડીહ, પ્રાંત : બિહાર ફોન : ૦૯૮૦૧૧૪૮૩૦૯ ૩૧૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy