SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કાશીનું અસલ નામ તો વાણારસી; તે ઉપરથી બનારસ થયું અને કાશી પણ કહેવાયું. અહીં વરણા અને આસા (અસી) આ બંને નદીઓ નગરમાં વહેતી હતી જેથી વાણારસી નામ પડ્યું. બીજી માન્યતા પ્રમાણે, વરુણા નદી અને ગંગાતટના કિનારે ૮૦ ઘાટ આવેલા હોવાથી તથા ‘વરુણા + અસ્સી' શબ્દ જોડાતાં આ નગરી વારાણસી તરીકે ઓળખાઈ. ગંગાના કિનારે અર્ધચંદ્રાકારમાં વસેલી વારાણસી (બનારસ) નગરી ઇતિહાસમાં કાશીની રાજધાની તરીકે જાણીતી છે. વિદ્યાક્ષેત્રઅને તીર્થક્ષેત્રતરીકે ઓળખાતી આ નગરીમાં ૧૩શ્વેતાંબર અને ૧૫ દિગંબર જૈનમંદિરો છે. અહીંતા મુખ્ય જિનાલયો તીચે પ્રમાણે છે : (૧) ઠઠેરી બજારમાં શ્રી કેસરીયાજીતું જિનાલય (૨) અંગ્રેજી કોઠીમાં શ્રી પાર્શ્વતાથજીનું જિનાલય (સિંહપુરી તીર્થમાં) (૩) સુતતોલામાં શ્રી ગોડીજી પાર્શ્વતાથજીનું જિતાલય (૪) રામઘાટ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનું જિનાલય કાશીને મંદિરોની નગરી કહે છે, કારણ અહીં જૈનમંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ, અન્નપૂર્ણાજી, દુર્ગાજી, સંકટમોચન, તુલસીમાનસ મંદિર, કેદારેશ્વર, વિશ્વેશ્વર, કાલભૈરવ, ગોપાલ મંદિર, વિશાલાક્ષી વગેરે અનેક મંદિરો દર્શનીય છે. આ બધાં મંદિરોમાં જગપ્રસિદ્ધ કાશીવિશ્વનાથ મંદિર જોવાલાયક છે. આ મંદિરનું શિખર ૨૭.૫ મણ સોનાથી મઢેલું છે, જેને પંજાબના રાજા રણજિતસિંહે ચઢાવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરની સંધ્યા સમયે થતી આરતીનો લહાવો લેવા જેવો છે, ઉપરાંત અહીંનું મ્યુઝિયમ, મોતીચંદ રાજાનો બાગ, જ્ઞાનવાવ, મણિકર્ણિકાઘાટ, હરિશ્ચંદ્રઘાટ, અશ્વમેધઘાટ જોવાલાયક છે. આપણે વારાણસીની પંચતીર્થીમાં ભેલુપુર, ભદેતી, સિંહપુરી, ચંદ્રપુરી, શ્વેતાંબર પંચાયતી બડામંદિર એ રીતે પાંચ તીર્થોનાં દર્શન કરીશું. પ્રભુએ પ્રથમ ઉપદેશ વારાણસીમાં જ આપ્યો હતો. ભગવાન બુદ્ધને જ્યાં જ્યાં નિગ્રંથોનો પરિચય થયો તે પ્રભુ પાર્શ્વનાથના શિષ્યો જ હતા, જેમને જૈન ગ્રંથોમાં ‘પાર્થાપત્ય' નામે ઓળખાવ્યા છે. એ સમયે વારાણસી શ્રમણોનું કેન્દ્રધામ હતું. મહારાજા શ્રેણિકને આ નગરી પહેરામણીમાં મળી હતી. એ સમયે અશ્વમેધ યજ્ઞો પ્રભુના ઉપદેશને કારણે અહિંસા રૂપમાં પરિવર્તન પામ્યા. ‘વિવિધ તીર્થકલ્પકાર’ શ્રી જિનપ્રભસૂરિ કહે છે કે, “વિશ્વનાથ મંદિરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ છે.”(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભા. ૧) તેઓ જ્યારે ચૌદમા સૈકામાં અહીં આવ્યા ત્યારે આ વારાણસી નગરી ચાર વિભાગમાં વહેંચાયેલી હતીઃ (૧) દેવ-વારાણસી, જ્યાં પ્રાચીન વિશ્વનાથનું મંદિર હતું (૨) રાજધાની-વારાણસી, જ્યાં યવન-મુસલમાન લોકો વધુ હતા (૩) મદન-વારાણસી (આજનો ઓળખાતો ‘મદનપુરા’વિભાગ) (૪) વિજય-વારાણસી, જ્યાં ભેલુપુર મંદિર છે. ૨૮
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy