________________
પાર કરીને ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરવા માંડે છે, અંતે એની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે, જ્ઞાન--સૂર્ય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે અને આનંદ-સાગર ઉછળવા માંડે છે. દેહ છે ત્યાં સુધી એ અહંત અથવા જીવન-સુક્ત દશામાં દિવ્ય ઉપદેશ મારફતે જગતમાં કલ્યાણ માર્ગને પ્રસાર કરતા વિચરણ કરે છે અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશા પામીને સદાને માટે આનંદ-સાગરમાં લીન થઈ જાય છે.
(૩) તાવ-દશન : સામ ત્રીજા ખંડનું છે. એમાં જીવ-અજીવ વગેરે જાત તવેનું તથા પાપ પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીવાત્મક પુદગલપરમાણુ વગેરે છ દ્રવ્યને પરિચય આપીને એના સાગ તથા વિભાગ દ્વારા વિશ્વ સૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિ-અનંતતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૪) સ્યાદ્વાદ : નામ ચોથા ખંડનું છે. એમાં અનેકાન્ત-વાદનો સંક્ષિપ્ત પરિચય અપાય છે. જેના દર્શનનો પ્રધાન ન્યાય આ જ છે. આ ખંડમાં પ્રમાણ, નય, નિક્ષેપ અને સપ્ત ભંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયેનો હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
છેલ્લે વીર સ્તવનથી આ પુસ્તક સમાપ્ત થાય છે.
સમાપન આ ચાર ખંડમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જેન–ધર્મ, તત્ત્વ-દર્શન તથા આચાર ભાગનો સર્વાગીણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org