________________
આઠ ના સ્વભાવનું સ્પષ્ટીકરણ (૧) જ્ઞાનાવરણીય કર્મને પડદા સાથે સરખાવવામાં આવે
છે. જેવી રીતે પડદો હોય તે એરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી તેમ આ કર્મ, જ્ઞાનને રોકવાનું અથવા એાછું વધતું કરવાનું નિમિત્ત બને છે આ કર્મના ઉદયની ન્યુન-અધિકતાને કારણે, કેઈ અ૫ જ્ઞાની અને
કેઈ વિશિષ્ટ જ્ઞાની બને છે. (૨) દર્શનાવરણીય કમને દ્વારપાળ સાથે સરખાવવામાં
આવે છે. જેવી રીતે દ્વારપાળ દર્શનાથી એને રાજાના
દર્શન કરવામાં રુકાવટ કરે છે તેવી રીતે આ કર્મ - દર્શનનું (સમતિનું) આવરણ કરે છે.
(૩) વેદનીય કર્મને મધ ચે૫ડેલી તલવારની ધાર
સાથે સરખાવવામાં આવે છે. તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં મધુર સ્વાદ આવે પણ સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ અનુભવાય છે તેવી રીતે વેદનીય કર્મ બે જાતના હેય છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય, આમ
વેદનીય કર્મ સુખ-દુખ બનેનું નિમિત્ત બને છે (૪) મેહનીય કમને મઘ (મદીરા, દારૂ) સાથે સરખાવવામાં
આવે છે. જેમ દારૂ પીવાથી મનુષ્ય કેફથી બેહેશબેભાન બને છે અને સૂધબૂધ ગુમાવી બેસે છે, તેમ મોહનીય કર્મના ઉદયથી વિવશ બનેલે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org