________________
આત્માના ચૈતન્ય પર્યાયો શુક્લ પક્ષમાં પ્રકાશિત = શુદ્ધ બને છે.
સુદ પખવાડિયું ચંદ્રનો શુક્લપક્ષ છે અને વદ પખવાડિયું કૃષ્ણપક્ષ છે. આત્માનો શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ કાળ આ પ્રમાણે છે - જે કાળ અધ્યાત્મની પ્રાપ્તિમાં બાધક બને તે કાળ આત્માનો કૃષ્ણપક્ષ અને જે કાળ અધ્યાત્મની પ્રાપ્તિમાં બાધક ન બને તે આત્માનો શુક્લપક્ષ છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવોમાં જે જીવનો સંસાર પરિભ્રમણ કાલ એક ૧ પુદ્ગલ પરાવર્ત જેટલો રહે છે તે જીવનો એ (અંતિમ એક પુદ્ગલ પરાવર્ત) કાળ શુક્લપક્ષ છે અને એ પહેલાંનો કાળ કૃષ્ણપક્ષ છે. કારણકે ચરમાવર્તમાં (અંતિમ પુલ પરાવર્તમાં) જ અધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈપણ જીવને ચરમાવર્તની પહેલાં અધ્યાત્મની પ્રાપ્તિ થાય જ નહિ. ચરમાવર્તમાં તુરત અધ્યાત્મની પ્રાપ્તિ થાય જ એવો નિયમ નથી, પરંતુ જો અધ્યાત્મની પ્રાપ્તિ થાય તો ચરમાવર્તમાં જ થાય, ચરમાવર્ત પહેલાં અધ્યાત્મની પ્રાપ્તિ ન જ થાય એવો નિયમ છે. આમ, અધ્યાત્મની પ્રાપ્તિમાં ચરમાવર્ત પહેલાંનો કાળ બાધક બનતો હોવાથી કૃષ્ણપક્ષ છે, અને ચરમાવર્ત કાળ બાધક ન બનતો હોવાથી શુક્લ પક્ષ છે.
વિંશતિવિશિકાર વગેરે ગ્રંથોમાં ચરમાવર્ત કાળને ધર્મયૌવનકાળ અને અચરમાવર્ત કાળને = ચરમાવર્તની પહેલાંના બધા કાળને ભવબાલકાળ કહ્યો છે. કારણકે – જેમ બાળકને સમજણના અભાવે ભોગ ઉપર (વ્યક્તિરૂપે) રાગ હોતો નથી, આથી તેને ધૂલિક્રીડામાં આનંદ આવે છે. પણ, એ જ બાળક યુવાન બને છે ત્યારે ભોગરાગ ઉત્પન્ન થતાં બાલ્યાવસ્થાની ધૂલિક્રીડા વગેરે ક્રિયાઓ શરમાવા જેવી લાગે છે. તેમ, અચરમાવર્તમાં રહેલા જીવને અજ્ઞાનતાના યોગે ધૂલિક્રીડા જેવી સંસાર ક્રિયામાં આનંદ આવે છે. પણ એ જીવ ચરમાવર્તકાળમાં આવે છે ત્યારે ૧ અસંખ્ય વર્ષો = એક પલ્યોપમ. ૧૦ કોડાકોડિ પલ્યોપમ = ૧ સાગરોપમ.
૨૦ કોડાકોડિ સાગરોપમ = અવસર્પિણી ઉત્સર્પિણી રૂપ એક કાલચક્ર. અનંતા કાળચક્રો = ૧ પુદ્ગલ પરાવર્ત પુદ્ગલ પરાવર્તનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ, પંચસંગ્રહ વગેરે ગ્રંથોથી જાણી લેવું. વિ.વિ. ચોથી વિંશિકા ગા. ૧૯-૨૦, પાંચમી વિંશિકા ગા.૧૮-૧૯, અ.સા. ગા. ૧૮-૧૯.