Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાંના બ્રિટિશ મુલકાના રાજકીય ઇતિહાસ
ભરૂચમાં તળાવિયાઓનું મંડ, ૧૮૮૫
પચમહાલમાં ભીલેને મળતા આવતા આદિવાસી જાતિના તળાવિયા લેને સુધારવા અને એમને ખેતીવ્યવસાયમાં જોડવા માટેના પ્રયાસ અંગ્રેજ સરકારે કર્યા હતા. ખરાબાની જમીનને વિકસાવવા નાણાં-ખર્ચી પણ કરવામાં આવ્યે હતા, પરંતુ તળાવિયાની મૂળભૂત પ્રકૃતિમાં ફેર ન પડયો. એમનામાંના એક લખા ભગત અને ખીન્ન એક ભગતે ભેગા મળી એવી વાત ચલાવી કે માતાએ તેઓને અલગ રાજ્ય આપવા વચન આપ્યું છે. એમના લેાકેાને તેએ સમજાવવા માંડયા. પરિણામે એમનું જૂથ રચાયુ. આશરે સા જેટલા તળાવિયા આ મે ભગતાની આગેવાની નીચે ચેામાસામાં ભરૂચના કલેકટર વિલિયમ એલનને મળવા ઊપડચા. કલેક્ટર પેાતાના મંગલે હાજર ન હતા, તેથી તેઓ શહેર તરફ જવા નીકળ્યા. રસ્તામાં ખી, બી. ઍન્ડ સી. આઈ. રેલવેના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ડબલ્યુ ખી, પ્રેસ્કાટ પેાતાની ગાડીમાં બેસી શહેરમાં પાછે! ફરતા હતા તે આટાળા પાછળ આવી પહોંચ્યા. પોતાને જવા માટે રસ્તે કરી આપવા તુમાખીથી ગમે તેમ ખાલતાં ટાળું વીર્યું અને એના પર તૂટી પડયું અને મરણુતાલ માર મારી એ સ્થિતિમાં પડતા મૂકી ટાળું શહેર તરફ ગયું. ત્યાં જતાં નજીકમાં આવેલી પેાલીસચાકી લૂંટી, ચેાકીનાં હથિયાર છીનવી લીધાં અને ભરૂચમાં આવેલી મુબઈ બૅંકની એક શાખા તરફ્ ગયા. મંેંકના પહેરેગીરી તળાવિયાએની સામે થતાં તેઓ શહેર બહાર નીકળી ગયા. માગ માં પેાલીસ ટુક્ડોએ એમને સામના કર્યો. નાની સરખી અથડામણુ થઈ. એમાં પોલીસનેા એક માણુસ મરાયા અને ત્રણ જણા સખત ઘવાયા. કરવામાં આવેલા ગાળીબારમાં પાંચ તળાવિયા માર્યા ગયા અને એટલા જ ઘવાયા. પેાલીસે ખીજી વાર ગાળાબાર કરતાં તળાવિયા ગભરાઈને નાસી ગયા. પોલીસે એમના પીછે કરી ૪૦ જણને તરત પકડી લીધા અને લખા તેમજ ખીજા ભગતને પાછળથી પકડયા. એમની સામે કેસ ચલાવાયેા. લખા અને એમના સાગરીત ભગતને ફાંસીની સજ્જ ગુનાવાળી જગાએ જ આપવામાં આવી, ખીજાઆને હદપારી કે કેદની સજા કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું છે કે ખડખાર તળાવિયાને રાકવામાં ન આવ્યા હાત તા ભરૂચ નજીક શુકલતીર્થાંમાં એ દિવસે (નવેમ્બર ૨૨) ભરાયેલા લેકમેળામાં પહેાંચી જઈ એમણે ભારે નુકસાન કર્યું. હાત કે લૂટફાટ ચલાવી હાત.૧૫ યેાળકામાં કામી ત’ગઢીલી, ૧૮૮૭
સરકારે એજ ઑફ કન્સેન્ટ બિલ' દાખલ કર્યું` હતુ` એના પરિણામે હિંદુઓની લાગણીએ ધવાઈ હતી. વળી ગારક્ષામંડળાની ઉપદેશાત્મક પ્રવૃત્તિના કારણે
७