Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ (સિક્કા)
બાજુએ કમળની ખે ડાળખી વચ્ચે અંગ્રેજીમાં તથા ફારસીમાં મૂલ્ય તથા ઉપર તાજ દર્શાવાતા, પરંતુ તાંબાના સિક્કાની ખીજી બાજુ વિકટારિયાના સિક્કા જેવી જ હતી. ૧૯૦૧ માં દશ કરકરિયાંવાળા નિકલને એક આને શરૂ થયા તથા બધ થયેલા એ પૈસા ફરી શરૂ થયા. આ સિક્કા તાજ તથા શાહી જામાવાળું રાજ્યનું મસ્તક દર્શાવતા.
૧૯૭
૧૯૧૧ માં પંચમ જ્યોજના સંપૂર્ણ શાહી પાશાક તથા રાજ્યમુગટવાળા સિક્કા દિલ્હી દરબારને પ્રસંગે શરૂ થયા. ઝભ્ભા ઉપર ચીતરેલા હાથીની સૂંઢ ભૂડ જેવી લાગતાં, મુસ્લિમેાએ ઊહાપોહ કરતાં એ ભૂલ સુધારવામાં આવી. રૂપિયા, અરધા તથા બે આનાના ચાંદીના સિક્કા હતા. મુખ્ય બાજુ પર અંગ્રેજીમાં રાનનું નામ તથા હોદ્દો અને ખીજી બાજુ પુષ્પમાળા વચ્ચે અ°ગ્રેજી તથા ફારસી શબ્દોમાં મૂલ્ય તથા અંગ્રેજીમાં વર્ષ દર્શાવાતુ.
દેશી રાજ્યાના સિક્કા
૧૮૫૮ માં અંગ્રેજોએ સત્તા ધારણ કરી ત્યારે સે ઉપરાંત રાજ્ય સિક્કા પાડવાના હક્ક ધરાવતાં હતાં. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામથી ઘણાં વર્ષ પહેલાં અ ંગ્રેજો સÖસત્તાધીશ બન્યા હતા. વિવિધ સુલેહ-કરારા વગેરેને કારણે દેશી રાજ્ગ્યા ઉપર સારી વગ પણ ધરાવતા હતા, છતાં એમના સિક્કા પાડવાના હક્કની વચ્ચે આવ્યા નહિ. રાજ્યાએ શરૂમાં સિક્કા ઉપર મુઘલ શહેનશાહનું નામ ચાલુ રાખેલું, પરંતુ ૧૮૫૭ માં બહાદુરશાહ દેશનિકાલ થતાં એનું નામ ચાલુ રાખવું નિર”ક હતું, ઇંગ્લૅન્ડના સત્તાધીશા ઈચ્છતા હતા કે અંગ્રેજોના સર્વાપરિપણાનું તથા પેાતાની તાબેદારીનું સૂચક રાણીનું નામ કે એવું કાંઈક રાજ્યેા અપનાવે, પરંતુ તાજેતરના વિગ્રહને કારણે આવું સીધુ` સૂચન કરવા તેઓ હિંમત ધરાવતા નહેાતા.૮ છેવટે, પેાતાની વફાદારી દર્શાવવા રાજાને જ આમ કરવું જરૂરી લાગ્યું. ૧૮૪૬ માં કચ્છના રાવે બ્રિટિશ સરકારનું નામ દર્શાવવા દરખાસ્ત કરી જ હતી. ૧૮૫૭ પછી આ પ્રક્રિયા વેગીલી બની ને ૧૮૭૨ માં એ સંપૂર્ણ થઈ, આમ છતાં રાણીનું નામ ન દર્શાવનારાં રાજ્ય પણ હતાં ખરાં. ખીજી બાજુ અંગ્રેજોએ રાજ્યાના સિક્કા પાડવાના હક્કની ચકાસણી કરી ફક્ત ચોત્રીસ રાજાને હક્ક માન્ય રાખ્યા તે પૈકી પંદર રાજ્યાએ રાણીનું નામ અપનાવ્યું.
૧૮૭૬ માં અંગ્રેજોએ જાહેર કર્યું કે જે રાજ્યા પેાતાની ટંકશાળ બધ કરી અંગ્રેજી ટકશાળમાં પેાતાના સિક્કા પડાવશે તેમને એ સિક્કા વિનામૂલ્યે પાડી આપવામાં આવશે. આ પ્રથા ૧૮૯૩ માં બધ થતાં રાજ્યાના સિક્કાની કિંમત ખારમાં ઘટી ગઈ અને ઘણાં રાજ્ય બ્રિટિશ સરકાર ખારભાવે એમના