Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલ
છે. એક ઉદાહરણ:
જારે. ગનેન પરસારક. ચેપનીઉં. આએ. ટાપુમાં. પહેલ. વહેલું. પરવરતાવીઉં તારે. એવી. હમને, ઈતિજારી હતી. કે. કેઆરે. એ. આએ. ટાપુમાં ફેલા. પામે. પણ, શુકર ખુદાના કે હમને, એ. વીશે, કહેતાં ઘણી. ખુશી ઉપજે. કે. જે. હમારી. ઉમેદ. હતી. તે. ઈજિદાંએ. પુરી પાડી. અને. આપણાં.
દેશીઓએ. હમને. સારી. મદદ–આપીચ.૨૬ સમય જતાં એના અધિપતિને શુધ જેડનીની જરૂર લાગી. માસિકનું નામ જ્ઞાન પ્રસારકી રાખ્યું અને ત્રીજા વર્ષના આરંભે પ્રકાશિત અંકમાં સ્પષ્ટ કરાયું કે શરૂઆતમાં શુદ્ધ જોડણીને બહુ આગ્રહ રાખવામાં આવ્યું નહોતું, કારણ કે મુંબાઈના ઘણુંખરા પારસી રહેવાસીઓને શુધ જડનીથી લખેલી ગુજરાતી ભાષા વાંચવાને મહાવરો નથી તેથી કોઈને ચેપાનીઉં પસંદ આવે નહીં.”
૧૮૫૦ અને એની આસપાસનાં વર્ષ આ દૃષ્ટિએ ગુજરાતી સામયિકના પ્રકાશનમાં મહત્વનાં હતાં. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ જે મંડળીઓ સ્થપાઈ હતી તેઓનાં પિતાનાં સામયિક શરૂ થયાં. રાજકોટમાં વિજ્ઞાન વિલાસ અને ગુજરાત શાળાપત્રીની શરૂઆત થઈ, તે જૂનાગઢથી “સૌરાષ્ટ્ર દર્પણ પ્રકાશન - સમિતિ”એ આચાર્ય વલ્લભજી હરિદત્તના તંત્રી-પદે સૌરાષ્ટ્ર દર્પણ” શરૂ કર્યું. ભાવનગરથી મને રંજક રત્ન' ત્રણ ભાષામાં નીકળતું. આ ઉપરાંત “સુબેધપ્રકાશ” ધર્મદર્પણ” “વિવેચક ધર્મ પ્રકાશ” “માસિક સારસંગ્રહ “ત્રિમાસિક ટીકાકાર જગતમિત્ર “માનવધર્મ વગેરે સૌરાષ્ટ્રમાંથી પ્રકાશિત થતાં સામયિક હતાં.
પરંતુ ગુજરાતી સામયિકન્ફગે મહત્વની રેખા અંકિત થઈ બુદ્ધિપ્રકાશના પ્રારંભથી. ૧૮૫૦ની પંદરમી મેએ એને પ્રથમાંક બહાર પડ્યો ત્યારે એનું પ્રકાશન પાક્ષિકવરૂપનું હતું. સોળ પાનાં અને દેઢ આનાની કિંમતના આ સામયિકને હેતુ પહેલા અંકમાં જણાવાયું હતું તે પ્રમાણે “તારે તેટલા માટે - આ ચેપાનીઊં છપાવનારાઓને એ ઈરાદે છે કે એ ચેપનીઆમાં એવી વિદ્યાની, ઈતિહાસની, રસાએન શાસ્ત્રની, લેકેના વહેપાર વિશે, લેકેના ચાલધારા વિશે, જે જે હેટા મહે:ટા માની લીધેલા વિચારમાં ફેરફાર થા, ને હાલમાં જે જે અમુલ વસ્તુઓ છે તેને, જેમ કુકડાને મન રત્ન, તેમ ધીકારીને