Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૧ ગુજરાતમાં મુદ્રણને ઊગમ અને વિકાસ આ મુદ્રણ એ એક કળા તે છે જ, પણ વધુમાં એને કળાઓને સાચવનારી કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ એ ઈતિહાસને સંઘરવાનું સાધન પણ બની રહે છે. એ કારણે કોઈ પણ કાળ યા પ્રજાના સાંસ્કૃતિક ઇતિહાસમાં એના મુદ્રણને ઋતિહાસ એ એક નેખું પ્રકરણ બની જાય છે.
મુદ્રણની શોધ પંદરમી સદીમાં થઈ એટલે એ કળા ચાર ટીકા કરતાં જૂની નથી. ચાર સૈકા પહેલાં મુદ્રણ જેવું કંઈ હતું જ નહિ એવું પણ નથી, દુનિથાના જૂનામાં જૂના પુસ્તક તરીકે જેને ઓળખવામાં આવે છે તેની પર મળી આવતી મુદ્રણની છાપને અભ્યાસ કરી એ ઈ.સ. ૮૬૮ની સાલમાં છપાયાનું નક્કી કરવામાં આવ્યું છે. ચીનમાં છપાયેલું આ પ્રાચીનતમ પુસ્તક એ આજે આપણે વ્યાપક અર્થમાં જેને પુસ્તક કહીએ તેવું પુસ્તક નથી.
મુદ્રણની શોધ ચીનમાં થઈ અને કાગળની શોધ માટે પણ આપણે ચીનના ઋણ છીએ. કાગળની શેધને વરસ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી, પણ પાછળથી એ સમરકંદ થઈ આરબ ગુલામ દ્વારા પશ્ચિમમાં પહોંચી. મુદ્રણનું પણ એવું જ થયું. એ કળા ચીનાઓએ શેાધી કાઢી. કોરિયાએ એને ઠીક ઠીક પ્રમાણમાં વિકસાવી અને ત્યાંથી મધ્ય એશિયા થઈ એ પશ્ચિમમાં પહોંચી. ' મુદ્રણની શોધના શરૂઆતના તબક્કામાં લાકડાના પાટિયા પર લખાણને કોતરી કાઢી એ રીતે તૈયાર થતા કતરેલા પાટિયા પરથી છાપકામ કરવામાં આવતું. આ પદ્ધતિ અત્યંત ધીમી હતી અને એને માટે ખૂબ માણસોને કામે લગાડવા પડતા. એ કારણે આ રીતે તૈયાર થતાં પુસ્તકોની સંખ્યા તથા પ્રત ખૂબ ઓછાં હતાં અને એને ઉપયોગ મંદિર અને રાજમહેલે પૂરતો મર્યાદિત હતે. મુદ્રણને વ્યાપક અને સરળ બનાવવા માટે ચીનાઓએ ૧૧ મી સદીમાં માટીનાં છૂટાં છૂટાં બીબાં બનાવી, એને પકવી એ પરથી છાપકામ કરી જોયું હતું. કેરિયનેએ માટીનાં બીબાં પકવી એના પરથી છાપકામ કરવાની કળા વિકસાવી હતી અને હજુ પણ કોરિયાના સંગ્રહસ્થાનમાં માટીનાં પ્રાચીન બીબાં સંઘરાયેલાં પડ્યાનું નોંધાયેલું છે. શિયાને દાવો તે એ પણ છે કે પશ્ચિમમાં ધાતુનાં બીબાં શેધાયાં. તે પહેલાં