Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ-૧ વિદેશમાં તથા ભારતમાં ગુજરાતીઓ ઔરંગઝેબના મૃત્યુ (૧૭૦૭) બાદ મુઘલ સત્તા નબળી પડી અને મરાઠી સત્તાને ઉદય થયો. સને ૧૭૫૬ થી ૧૮૧૮ સુધી ગાયકવાડ અને પેશવાની સત્તા સર્વોપરિ બની. આ ગાળા દરમ્યાન અનેક દુષ્કાળ પડ્યા અને અશાંતિ પ્રવર્તતી હતી તેથી ખેતી અને ઉદ્યોગની ખાનાખરાબી થઈ હતી. સુરત અને ખંભાત જેવાં ગુજરાતનાં પીતાં બંદરોની જાહેજલાલીને અસ્ત થયું હતું. આ કારણે ગુજરાતના સાહસિક લેકેને વતન અકારું થઈ પડયું હતું અને તેથી પરદેશગમનની પ્રવૃત્તિને વેગ મળ્યો હતે. “પેરિપ્લસના કર્તાથી લઈ વાદ-ગામા સુધીમાં ગુજરાતને વેપાર મધ્યપૂર્વના ઈરાની અખાતના દેશે, અરબસ્તાન, તથા આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા દેશો સાથે ચાલુ રહ્યો હતે. હેરમઝ બસરા મત મેચ એડન બર્બરા ઝેલા મોમ્બાસા દારેસલામ જંગબાર(ઝાંઝીબાર) મલિંદી કિલવા સેફાલા મોઝામ્બિક વગેરે બંદરમાં ગુજરાતી વેપારીઓ સદીએથી વસતા હતા. ૧૮૧૮ બાદ બ્રિટિશ શાસન ગુજરાતમાં સ્થિર થતાં આ સ્થળાંતર અને પરદેશગમનની પ્રવૃત્તિને વેપારના વિકાસ સાથે વેગ મળે. પૂર્વ આફ્રિકામાં બ્રિટિશ સત્તા ફેલાતાં રેલવે-યુગ શરૂ થયે અને સુએઝની નહેર બંધાતાં આ પ્રવૃત્તિ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વેગવાન બની. પશ્ચિમની સરખામણીમાં શ્રીલંકા બ્રહ્મદેશ મલાયા સિંગાપર ઇન્ડોનેશિયા ચીન જાપાન તથા પ્રશાંત મહાસાગરના દ્વીપમાં ગુજરાતીઓને પ્રવેશ જાતકકાલ(સુપારી અને ભરુકરણ જાતક)થી હેવા છતાં આ પ્રદેશમાં સ્થળાંતર કરનાર ગુજરાતીઓની સંખ્યા ઓછી હતી, પણ બ્રિટિશ સત્તાના ઉદય સાથે આ પરદેશગમનની પ્રવૃત્તિ વધી હતી,
આ પ્રવૃત્તિમાં કરછના ભાટિયા લહાણું અને બેજા, હાલાર અને પિરબંદરના મેમણ ખોજા લોહાણા અને બ્રાહ્મણ, સિદ્ધપુર રાંદેર અને સુરતના વહેરા, ખેડા જિલ્લાના પાટીદાર, સુરતના અનાવળા બ્રાહ્મણ વગેરેને ફાળે મહત્વનું છે. છેલ્લાં દોઢસે વરસેથી આ બધા પ્રદેશને સાહસિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બૅન્ક ગુમાસ્તા શિક્ષકે કારકુન, સનદી અને નીચલી શ્રેણીના અધિકારીઓ અને કર્મચારીઓ વકીલે ડોકટરો ઇજનેરે બીએ
PA