Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાલે
આમ તત્કાલીન સંસ્કૃત પાઠશાળાઓ હિંદુઓની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, તરીકે કામગીરી બજાવતી અને એમાં વિદ્યાર્થીનાં શક્તિ ઉત્સાહ અને સમયને લક્ષમાં લઈ શિક્ષણ આપવામાં આવતું હતું. (ઈ) મદરેસાઓ
ગુજરાતની ભૂમિ મદરેસાઓથી જાણીતી રહી છે. ગુજરાતમાં રાષ્ટ્રકૂટ અને સેલંકી રાજ્યોએ મુસ્લિમોને પ્રોત્સાહન આપ્યું. એમના જ કાલમાં મદરેસાઓ(મદ્રેસાઓ)
સ્થપાઈ. સિદ્ધરાજના કાલમાં શિયા વહેરાઓની મદરેસા સ્થપાઈ. ગુજરાતના સુલતાનના કાલમાં મદરેસાઓ સ્થપાઈ તેમાં હિંદુઓએ પણ પ્રવેશ મેળવ્યો હતે.
હજરત શેખ અહમદ ખટ્ટના મૃત્યુ પછી સુલતાન મુહમ્મદરશાહ ૨ જાએ. સરખેજમાં એમને મકબરે બંધાવ્યું અને ત્યાં મદરેસા સ્થાપી. નહારવાલા પાટણમાં ખાનસરોવર મદરેસા, અમદાવાદમાં ઉસમાનપુરામાં શેખ મુહમ્મદ ઉસમાન ઉફે શએ બુરહાનીની મદરેસા, શાહઆલમની મદરેસા, માંગરોળની મદરેસા, શાહ વજીહુદ્દીનની મદરેસા, નહીરવાલા–પાટણની આલમગીરી મદરેસા, અમદાવાદના હિદાયત બષ્ણની મદરેસા અને ભરૂચની મદરેસા-એ-ઈસહાક ખૂબ જાણીતી હતી. નહાવાલાપાટણની આલમગીરી મદરેસા વચ્ચે બંધ થઈ ગયેલી, જેનું જૂનું નામ “ફઝે સફા” હતું. એ મદરેસા હવે ફરી શરૂ થઈ ગઈ છે, જેનું નામ “કન્ટકે મગૂલ” રાખવામાં આવ્યું છે.
મરહૂમ મૌલાના અબુ ઝફર નદવી સાહેબે એમના ગ્રંથ “ગુજરાત કી તમની, તારીખમાં ૨૮ મેટી મદરેસાઓનાં નામ ગણાવ્યાં છે, જેમાં ઔદ્યોગિક અને સંગીતની મદરેસાઓને સમાવેશ થતો નથી.
આજે પણ મોટા ભાગે દરેક મહોલ્લાની મસ્જિદમાં મદરેસા હોય છે જ, જેમાં નાનાં બાળક કુરાન પઢવાનું શીખે છે. એને “નાઝિરહ કુર્માન પ્યાની' કહે છે. અરબીનું અક્ષરજ્ઞાન આપી, જોડણી કરી પઠન કરવાનું નામ છે “નાઝિરત ખ્વાની.” એમાં અરબી ભાષા ને ભાવાર્થ શિખવાડવામાં આવતાં નથી તેમજ અરબી લેખનને પણ એમાં સમાવેશ થતો નથી. ચારેક વર્ષનાં છોકરાંને સામાન્ય રીતે મદરેસામાં પ્રવેશ આપવામાં આવે છે અને આઠેક વર્ષનું થતાં સુધીમાં બાળક કુરાનના ત્રીસ પારહ સરળતાથી વાંચતાં શીખી લે છે. શરૂઆતમાં જે બાળપેથી ભર્ણવવામાં આવે છે તેને “કાયદહ કહે છે. આવી મદરેસામાં પ્રવેશ માટે કોઈ તારીખ નક્કી હોતી નથી, વર્ષ દરમ્યાન ગમે ત્યારે પ્રવેશ અપાય છે તેમજ મદરેસામાં ભણતાં કોઈ પણ બે બાળકોને સબક એક હેતે નથી, દરેકને સ્તર