Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાત ભાષા, બેલીઓ અને લિપિ
૬૦ કેમકે એમાં ભાતભાતના વિષયે લખાશે, તથાપિ કેળવણી સંબંધી ઘણું આવશે.” (પૃ. ૧)
જોડણી’ને વ્યવસ્થિત વિચાર પણ “શાળાપત્ર'ના આ ૧૮૬૨ ના જુલાઈઓગસ્ટ-સપ્ટેમ્બરના જોડિયા અંકમાં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજન બહુ સ્પષ્ટ હતું:
નવી સાત ચોપડીઓમાં છાપનારની એટલી બધી ભૂલે છે કે તેઓ પરથી ફલાણુ શબ્દની નકી આ જોડણી છે એમ કહી શકાતું નથી. તેના તે જ શબ્દની જુદે જુદે ઠેકાણે જુદી જુદી જોડણી કરી છે. એ ભૂલેને આ ચાંપાન્યામાં છેડે થેડે પ્રસિદ્ધ કરીશું.” (પૃ. ૪૫-૪૬)
જોડણવિષયક લેખ પછી એ વર્ષના પાંચમા અંકમાં જોડણીઆંક ૧ મથાળે અપાયેલા, જેમાં ૯ નિયમ આપવામાં આવેલા. આ નિયમ નીચે “તા. ૨૮ મી જાનેવારી સને ૧૮૫૯ મુ અમદાવાદ” એમ દિવસ કરી (૧) “શ્રી મેહનલાલ રણછોડદાસ દિપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સુરત જીલ્લાના,” (૨) “પ્રાણલાલ મથુરાદાસ દિ. એ ઈપ્રા. ધોળકા,”(૩) “મહીપતરામ રૂપરામ પ્રો. દિ..એ ઇપ્રારા ગોગા.”() મયારામ શંભુનાથ દિ એ ઈ. ખેડા જીલાના” (૫) દોલતરામ ઉત્તમરામ દિ એ ઈ. ભરૂચ જીલાન,” અને (૬) “દલપતરામ ડાહ્યાભાઈ ગુ. વ સે સાઈટીના આસિસ્ટેટ સેક્રેટરી” આ રીતે (પૃ. ૮૦) સહીઓ કરવામાં આવી છે. હકીકતે ગુજરાતી જોડણીના વિષયમાં આ પહેલે અતિહાસિક પ્રયત્ન છે એ નૈોંધવું જોઈએ. એ પછી ૧૮૬ર ના ઋા અંકથી ચેડાં ડાં પાનાંમાં જોડણી કેશ આપવામાં આવતા હતા.
કવીશ્વર દલપતરામ અને કવિ નર્મદાશંકરના ઉત્તર સમકાલીન ગુજરાતી વિદ્વાનેએ લખવા માંડેલા વિવિધ પ્રકારના સાહિત્યે હવે ભાષાને શિષ્ટતા અને પ્રૌઢિ આપી દીધી હતી. ( શૈક્ષણિક સાહિત્યિક અને વ્યાવહારિક ઉપયોગ માટે સ્વીકારવામાં આવેલા લિખિત પ્રકારના ભાષાસ્વરૂપને “શિષ્ટ' કે “માન્ય” એવી સંજ્ઞા આપવામાં આવી છે. શિષ્ટ અને એને સાર્વત્રિક ઉપગ કરતા હોય છે. એક વાત સ્પષ્ટ છે કે . શિષ્ટ જેના ઉચ્ચારણમાં પણ એવી પરિસ્થિતિ છે કે મુખ્યત્વે બલાત્મક સ્વર-ભારને કારણે સ્વરેનાં ચોક્કસ પ્રકારનાં ઉરચારણ થતાં હોય છે તે ઉચ્ચારણ : લેખનમાં રવીકારવામાં આવેલી વ્યવહારુ જોડણમાં બધા જ સંયોગોમાં બતાવી શકાતાં. નથી, અનુસ્વાર અને અનુનાસિક સ્વરોચ્ચારણ વચ્ચે, મૂર્ધન્ય અને મૂર્ધન્યતર -૮ ..