Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બ્રિટિશ કાળ
પ્રવૃત્તિના આરભ કરી એને વિકસાવી. એમના જેવાના અનેક પ્રશસ્ય પ્રયાસાને પરિણામે ગુજરાતના નારીસમાજને ઉપકારક શિક્ષણ આપવાનાં ચક્ર ગતિમાન થયાં.
-૩૪૮
પાઠયપુસ્તકા
સને ૧૮૨૦ માં ખાખે એજ્યુકેશન સાસાયટી' દ્વારા અર્વાચીન પદ્ધતિની શરૂઆત થઈ ત્યારે પાઠયપુસ્તકોના પ્રાથમિક શિક્ષણકક્ષાએ અભાવ હતા. અંગ્રેજી શાળા માટે ઇંગ્લૅન્ડથી પાઠયપુસ્તક આયાત કરાતાં હતાં. આ પુસ્તક ભારત કે ગુજરાત માટે બહુ અનુકૂળ ન હતાં, છતાં એના ઉપયાગ થતા હતા. ઉપર્યુક્ત · સંસ્થાએ દેશી ભાષાઓમાં પુસ્તકા રચાવવા અને દેશી શાળાઓ ખાલવા સબંધી રિપોર્ટ કરવા એક સમિતિ નીમી હતી. પાછળથી ખ્રિસ્તીઓ પૂરતુ· સાસાયટીએ કાર્યક્ષેત્ર મર્યાદિત બનાવ્યું હતું. સને ૧૮૨૩માં બોમ્બે નેટિવ સ્કૂલ બુક અને સ્કૂલ સાસાયટી' નામની સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. ૧૮૨૭ પછી ખોસ્મે નેટિવ એજ્યુકેશન સાસાયટીએ પાઠયપુસ્તક માટેનાં ધારાધેારણ નક્કી કર્યાં " હતાં અને નવા ગ્રંથ રચનારાઓ અને ભાષાંતરકારા માટે બક્ષિસ આપવાની જાહેરાત કરી હતી. આ માટે મુંબઈ હિંદુ સ્કૂલ બુક સેાસાયટી સને ૧૮૨૫ માં · સ્થપાઈ હતી. સને ૧૮૨૫ માં રણછેાડભાઈ ઝવેરીને ગુજરાતી દેશી નિશાળા માટેનાં પુસ્તક રચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પ્રથમ વર્ણમાળા તૈયાર કરવામાં આવી. ગણિતકામ સારુ તથા રકમેા તથા સાદા સરવાળા બાદબાકી -ગુણાકાર ભાગાકાર ભાંજણી વગેરેના જ્ઞાન માટે ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા • હતાં. આ સિવાય લિપિધારા ખેાધવચન, ડાડસ્લીની વાતા, ઈસપનીતિકથા, બાળમિત્ર, પચાપાખ્યાન, ભૂંગાળ, ખગોળવિદ્યાના ઉદ્દેશ, લાભ અને સંતાષ · વગેરે પુસ્તક વાચનકાળ સારુ રચાયાં હતાં. ગણિત માટે હટનકૃત પૂર્ણાંક અને અપૂર્ણાંકનું પુસ્તક, શિક્ષામાલા ભાગ ૧ અને ૨, કભ્ય ભૂમિતિ વગેરે પુસ્તક “શાળા પુસ્તક મંડળી તરફથી તૈયાર કરાયાં હતાં.૪૯ મોતીલાલ ઝવેરીએ આ પુસ્તક અંગે કરેલી સૂચક ટીકા નોંધપાત્ર છે : બોર્ડ (ખા` આફએજ્યુકેશને, ૧૮૪૦-૧૮૫૫) કેટલાક સાક્ષર ગૃહસ્થા અને શાસ્ત્રીઓની પાસે શાળામાં ભણાવવા માટેનાં યોગ્ય પુસ્તક તૈયાર કરાવ્યાં હતાં. આમાંનાં ઘણાખરાં પુસ્તક મૂળ અંગ્રેજી કે ફ્રેંચમાંથી પહેલાં મરાઠીમાં લખાયાં હતાં અને પછી એને ગુજરાતીમાં · અનુવાદ મરાઠી શાસ્ત્રીઓને હાથે થયા હતા. તેથી એમાં વ્યાકરણ રૂઢિપ્રયોગા અને શૈલીના દોષ અજાણતાં પણ રહી ગયા હતા. મરાઠી વ્યાકરણને ગુજરાતી અનુવાદ કરીને એમણે કામ ચલાવ્યું હતું.' મહીપતરામે આ અંગે અસતૈાષ વ્યક્ત કર્યો હતા. લાલશ કર, ઉમિયાશ કરે આ સંબંધમાં લખ્યું છે કે એ પુસ્તકા