Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૮
- બ્રિટિશ કાણ
ભાગ આવેલું. જત લેકે બંડ અને ચેરી કરવા માટે પંકાયેલા હતા. ૧૮૦૬૦૭ માં કાઠિયાવાડમાં કર્નલ વકરે ખંડણીના આંકડા નક્કી કર્યા ત્યારે ત્યાં મલેક હૈદરખાનના વંશજ સુજી (સરજમલજી) ૩ જા રાજ્ય કરતા હતા. દરિયાખાન ૨ જાની હયાતી બાદ ૧૮૪૧ માં મલેકનસીબખાનજી તખ્તનશીન થયા. નસીબખાન (મૃ. ૧૯૦૨) પછી મલેક જીવણખાનજીએ ૧૯૦૩ થી ૧૯૨૦ સુધી રાજ્ય કર્યું.૧૭
૩૯. વીરપુર–હાલારમાં આવેલી આ રિયાસતના રાજ્યક્ત જાડેજા રાજપૂત હતા. નવાનગરના જાડેજા વંશના સ્થાપક જામ રાવળના પુત્ર વિભાજી(૧૫૬૩૧૫૬૯)ને ત્રીજા કુંવર ભાણજીને નવાનગર તરફથી કેટલાંક ગામ મળેલાં તે ભારોએ છોડી દીધાં ને પોતે ખરેડીના મુસલમાન થાણદારના તાબામાં જઈ રહ્યો. ખરેડીને મૂળ જમીનદાર કાઠીઓને ત્યાંથી કાઢી મૂક્યા ને એમની કેટલીક જમીન હસ્તગત કરી. ભારાજી પછી સાતમી પેઢીએ મકાજી ઉફે બાપજી થયા, એમણે ૧૭૬ ૬ માં ત્યાંથી મુસલમાન થાણદારને કાઢી મૂક્યા ને ખરેડી પિતાના તાબામાં કરી લીધું. વળી એમણે કાઠી પાસેથી વીરપુર અને બીજાં બે ગામ છતી લઈ ૧૩ ગામોને તાલુકે બાં, ને પિતાની ગાદી વીરપુરમાં સ્થાપી. મેકેજી પછી પાંચમી પેઢીએ સુરાજી થયા, એ ૧૮૫૧ માં ગાદીએ બેઠા.૧૧૮
૪૦. માળિયા–હાલારમાં મચ્છુકાંઠામાં આવેલી આ રિયાસતના રાજ્યકર્તા પણ જાડેજા રાજપૂત હતા. મોરબીના જાડેજા વંશના મૂળ પુરુષ કાંજીના છઠ્ઠા કુંવર મોડજીને મચ્છુકાંઠામાં પાંચ અને વાગડમાં કેટલાંક ગામ મળેલાં. મોડજીએ મોરબીનું ઉપરીપણું કાઢી નાખવાના હેતુથી સિંધથી મિયાણાઓને બોલાવી પિતાનાં ગામમાં વસાવ્યા. મેડછ પછી નાથોજી, ભીમેજી અને ડોસોજી થયા. ડેસોજીને મોરબીના રાજા જિજીએ દગાથી પકડો કેદ કર્યા (૧૮ ૦૨-૦૩) ત્યારે મિયાણાઓએ મેરબી પર હુમલે કરી એમને છોડાવ્યા. મિયાણીઓની ભારે લૂંટફાટને કારણે અંગ્રેજ સરકારે ૧૮૧૦ માં માળિયા પર ફોજ મેલી, જેણે માળિયાને ગઢ જમીનદોસ્ત કરી નાખે. ડેસેજ પછી એમના કુંવર સતાજી ગાદીએ આવ્યા. એમના પછી એમના પૌત્રા મેડછ ગાદીએ આવ્યા (૧૮૬૬). માથાભારે તોને વશ ન કરાતાં (૧૮૭૯-૮૦) અંગ્રેજ સરકારે ઠાર મોડજી પાસેથી એમને ચોથા વર્ગને ઉજદારી અધિકાર લઈ લીધે. કારભારીઓએ સરકારમાં લડી એ અધિકાર પાછું મેળવ્યું, પણ અંગ્રેજ સરકારે મિયાણા ઉપરની ફોજદારી હકુમત પિતાના હાથમાં રાખી ને મિયાણામાં “મેજિસ્ટ્રેટ'ની નિમણૂક કરી. ૧૧૯
કા. કેટડા સાંગાણી-હાલારમાં આવેલી આ રિયાસતના રાજ્યક્ત જાડેજા રાજપૂત કુલના હતા. એના મૂળ પુરુષ સાંગાજી ગંડળની જાડેજા શાખા