Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભેદનો અભાવ છે, તેથી એ અપેક્ષાએ તે એક પણ છે. તથા-દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે આત્મામાં એક દ્રવ્યાર્થતા હોવાથી એકત્વ મનાય છે. વ્યાર્થતાદ્રવ્યાર્થિક નય એટલે પ્રદેશ, ગુણ અને પર્યાનું અવલંબન તે દ્રવ્યાર્થતા મુખ્યત્વે
એક અખંડ દ્રવ્યને વિષય કરે છે. તે વિષયભૂત દ્રવ્યમાં પ્રદેશ, ગુણ અને પર્યા રહે છે તેમના પર તેની દષ્ટિ રહેતી નથી. એ બધા પર દૃષ્ટિ રાખનારી પ્રદેશાર્થતાઅસંખ્યાત પ્રદેશયુકતતા-પર્યાયાર્થિક નય છે. તેની અપેક્ષાએ આત્મામાં અનેતા મનાય છે. આત્મા એક પ્રદેશવાળો નથી. તે તો અનેક પ્રદેશવાળે છે. આત્મા સમસ્ત પદાર્થોને જ્ઞાનાદિ ગુણો દ્વારા વિષય કરે છે, તેથી પોતાના કરતાં ભિન્ન પદાર્થોની અપેક્ષાએ તેની પ્રધાનતા છે. તે કારણે સૂત્રકારે સૌથી પહેલાં અહીં તેને નિર્દેશ કર્યો છે.
ભાવાર્થ – સૂત્રકારે આ સૂત્ર દ્વારા આત્માને જે એક બતાવ્યું છે. તેનું કારણ ઉપયોગ લક્ષણની અભિન્નતા છે, કારણ કે જીવનું લક્ષણ ઉપયોગ બતાવવામાં આવેલ છે. જીવ કે જેને ખાત્મા તથા ચેતન પણ કહે છે તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાવિક દ્રષ્ટિથી જોતાં તે અરૂપી હોવાથી ઇન્દ્રિયો ઘરા તેનું જ્ઞાન થઈ શક્ત નથી, છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવી દેવાનું આવશ્યક થઈ પડે છે કે જેનાથી આત્માને ઓળખી શકાય. તે કારણે જ આ સૂત્રના ટીકાકારે તેનું લક્ષણ ઉપયોગ બતાવેલ છે. અને એ જ ઉપયોગ લક્ષણની એકતાથી તેમાં એકત્વ દર્શાવ્યું છે. આત્મા લક્ષ્ય છે અને ઉપયોગ તેનું લક્ષણ જાણવાનો ઉપાય છે. જગત અનેક ચેતન અને જડ પદાર્થોનું મિશ્રણ છે. તેમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિર્ણય કરે હોય તે ઉપયોગ દ્વારા જ થઈ શકે છે. કારણકે તે ઉપયોગ વધુ ઓછા પ્રમાણમાં સમસ્ત માં નજરે પડે છે જડમાં તે ઉપયોગ નજરે પડતું નથી. બોધરૂપ વ્યાપારનું નામ જ ઉપયોગી છે. આત્મામા બાબરૂપ ક્રિયા થાય છે-જડમાં થતી નથી- તેનું કારણ ચેતનાશક્તિ છે. આત્મા જે સ્વતંત્ર દ્રવ્ય હોય તે તેમાં અનેક ગુણ હોવા જોઈએ, તે પછી ઉપગને જ લક્ષણ કેમ કહ્યું? તો તે શંકાનું સમાધાન એ છે કે આત્મામાં અનંતગુણ પર્યાય છે, પણ તે સૌમાં ઉપગ જ મુખ્ય છે, કારણ કે સ્વ તથા પર પ્રકાશરૂપ હોવાથી ઉપયોગ જ પિતાનું તથા અન્ય પર્યાયોનું જ્ઞાન કરાવી શકે છે. આત્મા જે કંઈ જાણે છે-અનુભવે છે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮