________________
૪૨.
પ્રકારનો અભાવ તો દેખાય જ છે. કારણ કે સમવાયસંબંધથી ભલે રૂપ પૃથિવીમાં રહેતું હોય પરંતુ શબ્દ આકાશનો ગુણ હોવાથી પૃથિવીમાં રહેતો નથી અને “પ સર્વેfપ દયં નાસ્તિ'
એક હોવા છતાં પણ બંને નથી” આ નિયમથી પૃથિવીમાં રૂપ હોવા છતાં પણ “રૂપ-શબ્દ ઊભયનો અભાવ” કહેવાશે. અને એ ઊભયાભાવથી નિરૂપિત રૂપ- શબ્દમાં રહેલી પ્રતિયોગિતા પણ રૂપત્નથી તો અવચ્છિન્ન કહેવાશે જ. સ્પર્શ રૂપ-શબ્દોભયાભાવ (રૂપિd> પ્રતિયોગિતા રૂપ– શબ્દ
/-ઊભયત્વ પૃથિવી
રૂપ-શબ્દોભય (પ્રતિયોગી) અને હા! જો તમે એમ કહેતા હોવ કે આ રૂપ-શબ્દ ઊભયાભાવીય પ્રતિયોગિતા જેમ રૂપત્વથી અવચ્છિન્ન છે, તેમ શબ્દત્વ અને ઊભયત્વ ધર્મથી પણ અવચ્છિન્ન તો છે જ ને..
તો સાંભળો! ‘ધ પ્રવિર્ણન તહાનિ’ આ નિયમથી રૂપ-શબ્દ ઊભયાભાવીય પ્રતિયોગિતા ભલે શબ્દત્વ, ઊભયત્વ એવા અધિક ધર્મથી અવચ્છિન્ન હોય પરંતુ એમાં રૂપવાવચ્છિન્નનો અપલાપ તો ન જ કરી શકાય.
આથી સમવાયસંવંધાવંછનરૂપત્નીવંછનરૂપનિષ્ટપ્રતિયોગિતામાવ કહેવાથી માત્ર રૂપાભાવ નહીં પરંતુ રૂપશબ્દ ઊભયાભાવ પણ ગ્રહણ થઈ જશે જે પૃથિવીમાં રહે છે અને ત્યાં સ્પર્શ તો છે જ. આમ લક્ષણ હતું વાયુનું અને ગયું પૃથિવીમાં તેથી અતિવ્યાપ્તિ આવશે.
સમા. : આ આપત્તિને દૂર કરવા અમે લક્ષણમાં રૂપાભાવની પ્રતિયોગિતા ઈતરધર્મથી અનવચ્છિન્ન લઈશું. અર્થાત્ પ્રતિયોગિતા માત્ર રૂપ– ધર્મવાળી જ હોવી જોઈએ, બીજા ધર્મોવાળી ન હોવી જોઈએ. આમ કરવાથી હવે લક્ષણ પૃથિવીમાં નહીં જાય કારણ કે પૃથિવીમાં રહેલા રૂપ-શબ્દ ઊભયાભાવની પ્રતિયોગિતા જો કે રૂપ–ધર્મથી યુક્ત છે. પરંતુ સાથે સાથે શબ્દત વગેરે બીજા ધર્મોથી પણ યુક્ત છે. જ્યારે વાયુમાં રહેલા રૂપાભાવની પ્રતિયોગિતા રૂપત્ય ધર્મથી જ યુક્ત છે. ઈતરધર્મથી યક્ત નથી.
સામાનાધિકરણ્ય . . નિરૂપિત રૂપત પ્રતિયોગિતા ના. રૂપાભાવ | સ્પર્શ રૂપ (પ્રતિયોગી)
વાયુ આ રીતે વાયુનું લક્ષણ વાયુમાં જવાથી નાતિવ્યાપ્તિ. અત: વાયુનું લક્ષણ થશે..... 'समवायसंबंधावच्छिन्न-रूपत्वावच्छिन्न-इतरधर्मानवच्छिन्नरूपनिष्ठप्रतियोगिताकाभावविशिष्टस्पर्शवत्त्वम्'