________________
૨૧૮ * સંશયના લક્ષણમાં જો નાના પદનો નિવેશ ન કરીએ તો “ધર્ટવિરુદ્ધત્વવાનું પટ: ઇત્યાકારક નિશ્ચયાત્મક જ્ઞાનમાં પણ અતિવ્યાપ્તિ આવે છે કારણ કે આ જ્ઞાન પણ ઘટવથી વિરૂદ્ધ પટવાત્મક એક વિરૂદ્ધધર્મને જણાવે છે. લક્ષણમાં “નાના’ પદના નિવેશથી આપત્તિ નહીં આવે કારણ કે “પટવિરુદ્ધપર્વવાન પર?' આ જ્ઞાન એક જ વિરૂદ્ધધર્મને જણાવે છે, નાના વિરૂદ્ધધર્મને નહીં.
વિપર્યય - નિરૂપણ मूलम् : मिथ्याज्ञानं विपर्ययः। यथा शुक्तौ 'रजतम्' इति ॥
મિથ્યાજ્ઞાનને વિપર્યય કહેવાય છે. દા.ત. છીપમાં ચાંદીનું જ્ઞાન. ___ (न्या०) मिथ्याज्ञानमिति। अयथार्थज्ञानमित्यर्थः। विपर्ययो नाम भ्रमः॥
ક ન્યાયબોધિની * મિથ્યાજ્ઞાનને અયથાર્થજ્ઞાન પણ કહેવાય છે. મિથ્યાજ્ઞાન, અયથાર્થજ્ઞાન, ભ્રમ, વિપરીતજ્ઞાન અને વિપર્યય આ પર્યાયવાચી શબ્દો છે.
(प.) मिथ्येति। यथार्थज्ञानवारणाय मिथ्येति। अयथार्थवारणाय ज्ञानेति ।
* પદકૃત્ય છે કે “જ્ઞાન વિપર્યય' આટલું જ કહીએ તો યથાર્થજ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. ““મા” પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે યથાર્થજ્ઞાન મિથ્યાજ્ઞાન નથી.
* “મિચ્છા વિપર્યયઃ' આટલું જ કહીએ, તો મિથ્યાભૂત વસ્તુમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે મિથ્યાજ્ઞાનની વિષયભૂત વસ્તુ પણ મિથ્યા જ કહેવાય છે. લક્ષણમાં જ્ઞાન પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે, કારણ કે મિથ્યાજ્ઞાનની વિષયભૂત વસ્તુ જ્ઞાનસ્વરૂપ નથી.
તર્ક - નિરૂપણ मूलम् : व्याप्यारोपेण व्यापकारोपस्तर्कः। यथा-यदि वह्निर्न स्यात्तर्हि धूमोऽपि न સ્થાિિત
વ્યાપ્યના આરોપથી વ્યાપકનો આરોપ કરવો તેને તર્ક કહેવાય છે. દા.ત. - પર્વત પર જો વનિ ન હોય તો ધૂમ પણ ન હોય. આ તર્કનો આકાર છે.
(न्या.) व्याप्यारोपेणेति। तर्के व्याप्यस्य व्यापकस्य च बाधनिश्चय: कारणम्। अन्यथा बाधनिश्चयाभाव इष्टापत्तिदोषेण तर्कानुत्पत्तेः॥