________________
૧૦૨ રંગમાં જ પ્રકાર છે. અને તેથી રજતત્વમાં રહેલી પ્રકારના, રજતત્વના અભાવવાળા રંગમાં રહેલી વિશેષતાથી નિરૂપિત નથી. એ પ્રમાણે રંગત્વમાં રહેલી પ્રકારતા, રંગત્વના અભાવવાળા રજતમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત નથી. આમ, સમૂહાલમ્બન પ્રમાત્મક જ્ઞાનમાં અયથાર્થનું લક્ષણ ન જવાથી અતિવ્યાપ્તિ આવશે નહીં.
(प०) तदभावेति । तदभाववद्विशेष्यकतत्प्रकारकोऽनुभवोऽयथार्थानुभव इत्यर्थः । यथा शक्तौ 'इदं रजतम्' इति ज्ञानम् । स्मृतिवारणाय अनुभव इति । यथार्थानुभवेऽतिव्याप्तिनिरसनाय तदभाववतीति । निर्विकल्पकवारणाय तत्प्रकारक इति ॥
* પદકૃત્ય ક ‘તદભાવવત્ જે જ્ઞાનમાં વિશેષ્ય બને છે અને તત્ જે જ્ઞાનમાં પ્રકાર બને છે એવો જે અનુભવ તે અયથાર્થ અનુભવ છે. દા.ત. શક્તિને જોઇને દંરતઆવો જ અનુભવ થાય છે તે અયથાર્થીનુભવ છે.
* અયથાર્થ અનુભવના આ લક્ષણમાં જો “અનુભવ” પદ નો નિવેશ ન કરીએ તો અયથાર્થ સ્મૃતિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે અયથાર્થ અનુભવના જે સંસ્કાર પડે છે = શક્તિને જોઇને “આ રજત છે આવા જ્ઞાનના જે સંસ્કાર પડે છે તેના દ્વારા “રગતવામાવિવતિ શુ$ૌ રાતત્વVIR' અયથાર્થ સ્મૃતિ થાય છે. આમ સ્મૃતિ પણ “તદ્રમાવિવતિ તત્કાર” હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “અનુભવ” પદના નિવેશથી સ્મૃતિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સ્મૃતિ એ અનુભવ સ્વરૂપ નથી.
* લક્ષણમાં “તદ્માવતિ' પદનો નિવેશ ન કરીએ અને “તત્કારક્ર' આટલું જ જો કહીએ તો યથાર્થ અનુભવમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે યથાર્થ અનુભવ પણ “તત્કાર' તો છે જ. પરંતુ લક્ષણમાં ‘તમાdવતિ' પદના નિવેશથી યથાર્થ અનુભવમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે યથાર્થ અનુભવ તો તતિ = “શિષ્ય' છે.
* લક્ષણમાં જો ‘ત~%IR#' પદનો નિવેશ ન કરીએ ‘તમવિશ્વતિ અનુભવોયથાર્થ' એટલું જ કહીએ તો નિર્વિલ્પક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે નિર્વિકલ્પક જ્ઞાન તો તવત્ ની જેમ “તદ્માવવતુ'માં પણ થાય છે. પરંતુ લક્ષણમાં તત્કાર' પદના નિવેશથી નિર્વિકલ્પક જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે નિર્વિકલ્પક જ્ઞાનમાં કોઇ પ્રકાર હોતુ નથી.
યથાર્થાનુભવના પ્રકાર मूलम् : यथार्थानुभवश्चतुर्विधः प्रत्यक्षानुमित्युपमितिशाब्दभेदात् ॥
અનુભવના પૂર્વે જે યથાર્થ અને અયથાર્થ એમ બે ભેદ કહ્યા છે, તેમાં યથાર્થાનુભવના પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દ એમ ચાર ભેદ છે.
(न्या० ) यथार्थानुभवं विभजते-चतुर्विध इति ॥