Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 190
________________ ૧૮૨ વળી કેવલાન્વયી હેતુ ચારરૂપથી યુક્ત હોય તો જ પોતાના સાધ્યને સિદ્ધ કરવા સમર્થ છે. શંકા : કેવલાન્વયી હેતુમાં પાંચરૂપમાંથી કયું એક રૂપ નથી ઘટતું ? સમા. : ‘ઘટ: જ્ઞેયઃ વાવ્યાત્' એતાદૃશ કેવલાન્વયિ સ્થળમાં સાધ્યાભાવ જ અપ્રસિદ્ધ હોવાથી વિપક્ષની જ અપ્રસિદ્ધિ થઈ જાય છે, માટે ‘વિપક્ષવ્યાવૃતત્વ’ કેવલાન્વયી હેતુમાં ઘટશે નહીં. કેવલવ્યતિરેકી હેતુ પણ ચાર જ રૂપથી યુક્ત થઈને પોતાના સાધ્યને સિદ્ધ કરવા સમર્થ બને છે. દા.ત. - ‘પૃથિવીતામેવવતી ધવત્ત્વાત્' આ કેવલવ્યતિરેકિ સ્થળમાં નિશ્ચિંતસાધ્યવારૂપ સપક્ષનો અભાવ છે. કારણ કે સમસ્તપૃથિવીનું પક્ષ તરીકે ગ્રહણ છે. તેથી ‘સપક્ષસત્ત્વ’ કેવલવ્યતિરેકી ‘ગન્ધવત્ત્વ’ હેતુમાં ઘટશે નહીં. उपदर्शितरूपाणाम्... ..તરબાન્યતતિ ॥ ઉપર બતાવેલા રૂપોમાંથી કેટલાક રૂપોથી યુક્ત હોવાથી દુષ્ટહેતુઓ પણ હેતુ જેવા દેખાય છે, તે હેતુઓને હેત્વાભાસ = દુષ્ટહેતુ કહેવાય છે. , આ દુષ્ટòતુનું લક્ષણ શું? ‘ અનુમિતિતરખાન્યતરપ્રતિબંધ યથાર્થજ્ઞાનવિષયત્વમ્ ' અનુમતિ અથવા તેના કરણનું = વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક એવું જે યથાર્થજ્ઞાન છે, તે યથાર્થજ્ઞાનના વિષયને હેત્વાભાસ = દુષ્ટહેતુ કહેવાય છે. દા.ત. - ‘વૃત્તિ: અનુષ્ણ: દ્રવ્યાત્' અહીં બાધ સ્થલમાં દ્રવ્યત્વસ્વરૂપ હેતુથી ‘વૃદ્ઘિનુષ્ણ:’ આ અનુમિતિ કરવાની છે. પરંતુ તેનું પ્રતિબંધક ‘૩ષ્ણત્વવાવનુષ્યત્વસાધવું દ્રવ્યત્વમ્’ = ‘ઉષ્ણત્વવદ્ વહ્નિમાં અનુષ્યત્વનું સાધક દ્રવ્યત્વ છે’ આ જ્ઞાન થયું. તાદશ યથાર્થજ્ઞાનનો વિષય દ્રવ્યત્વ છે. તેમાં વિષયતા રહેલી છે. એટલે જ્ઞાનીયવિષયતા દ્રવ્યત્વસ્વરૂપ હેત્વાભાસમાં = દુષ્ટહેતુમાં રહેવાથી લક્ષણ સમન્વય થાય છે. (= દ્રવ્યત્વ દુષ્ટહેતુ છે એ સિદ્ધ થાય છે.) (એવી જ રીતે ‘પર્વતો ધૂમવાનું વહે:’ અહીં અનુમિતિનું કરણ ‘ધૂમામાવવવવૃત્તિવૃત્તિ:' ઇત્યાકારક વ્યાપ્તિજ્ઞાન છે. તાદૃશ વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક જે ‘ધૂમામાવવવૃત્તિવૃત્તિ:’ ઇત્યાકારક જ્ઞાન છે, તે જ્ઞાનનો વિષય ‘વિઘ્ન’ છે માટે એ વ્યભિચારી દુષ્ટહેતુ થયો.) ન * હેત્વાભાસના આ લક્ષણમાં ‘યથાર્થ’ પદનો નિવેશ ન કરીએ અને ‘અનુમિતિતરનાન્યતરપ્રતિબંધજ્ઞાનવિષયત્વ’ આટલું જ લક્ષણ કરીએ તો આ લક્ષણ સદ્ભુતુમાં પણ ઘટી જશે કારણ કે ‘પર્વતો વહિમાન્ ધૂમાત્ આ સ્થળે ‘વન્યમાવવવવૃત્તિધૂમ' ઇત્યાકારક વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક ‘વૈદ્યમાવવવૃત્તિધૂમ:’ ઇત્યાકા૨ક અયથાર્થજ્ઞાન બને છે. એ અયથાર્થજ્ઞાનના વિષય તરીકે ધૂમ છે. આ પ્રમાણે હેત્વાભાસનું લક્ષણ સહેતુમાં જવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ હેત્વાભાસના લક્ષણમાં ‘યથાર્થ’ પદનો નિવેશ કરીએ તો સદ્ભુતુમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે ‘વન્દ્વમાવવવૃત્તિધૂમ:’ ઇત્યાકારક વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક જે

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262