________________
૪૬ વિશિષ્ટ સ્પર્શવાળો દ્વિતીયાદિ ક્ષણનો જે વાયુ છે, તેમાં રહેલી દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિ વાયુત્વ છે. તે વાયુત્વ જાતિવાળો જેમ દ્વિતીયાદિ ક્ષણનો વાયુ છે તેમ આદ્યક્ષણનો પણ વાયુ છે. આમ આવું જાતિઘટિત લક્ષણ દ્વિતીયાદિક્ષણના વાયુની સાથે સાથે પ્રથમ-ક્ષણના વાયુમાં પણ જવાથી અવ્યાપ્તિ આવશે નહીં.
આથી વાયુનું લક્ષણ આ પ્રમાણે થશે. સામાનધરથસંબંધેન સમવયસંવંધાવચ્છિન્નरूपत्वावच्छिन्नइतरधर्मानवच्छिन्नख्पनिष्ठप्रतियोगिताक-अभावीयविशेषणतासंबंधावच्छिन्नाधेयतावानभावविशिष्टसमवायसंबंधावच्छिन्नस्पर्शत्वावच्छिन्ना या आधेयता, तन्निरूपिताfધUતિવિદુવૃત્તિદ્રવ્યત્વવ્યાણજ્ઞાતિમત્ત્વમ્' અર્થાત્ સમવાય સંબંધથી રહેલા રૂપમાત્રનો અભાવ સ્વરૂપસંબંધથી જ્યાં છે અને તે અભાવથી નિરૂપિત નિરવચ્છિન્ન અધિકરણતા જ્યાં છે તથા સમવાયસંબંધથી સ્પર્શત્વન સ્પર્શથી નિરૂપિત અધિકરણતા જ્યાં છે ત્યાં રહેલી દ્રવ્યત્વની વ્યાપ્ય જાતિવાળો જે છે તે વાયુ કહેવાય છે.
રમવચ્છિનું
વચ્છિક
સ્પર્શત્વ
સમવાય
અવનિ
અવચ્છિક અવચ્છિન્સ અભાવી વિશેષણતા આધેયતા આધેયતા
-નિરૂપિતસમવાય રત્વ પ્રતિયોગિતા નિરૂપક, રૂપાભાવ અધિકરણતા
|
સ્પર્શ
દ્રવ્યત્વ વ્યાપ્યજાતિ વાયુત્વ
૨૫
વાયુ - શંકા : અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષનાં લક્ષણ તો પહેલા કરી લીધા છે તો પછી ન્યાયબોધિનીકારે તેઓના નિષ્કૃષ્ટ લક્ષણ શા માટે કર્યા?
સમા. : ન્યાયબોધિનીકારે અતિવ્યાપ્તિ વગેરે ત્રણેયના નિકૃષ્ટ લક્ષણ કર્યા છે એ જ બતાવે છે કે મૂળ લક્ષણમાં ક્યાંક ક્યાંક દોષ રહેલો છે. તે આ પ્રમાણે.....
* “નીલરૂપ” શ્વેતગાયમાં ન રહેતું હોવાથી ગાયનું “નીતરૂપવર્તમ્ લક્ષણ જેમ અવ્યાપ્તિ દોષવાળું છે તેમ અતિવ્યાપ્તિ દોષવાળું પણ છે. કારણ કે નીલરૂપ જેમ ગાયમાં રહે છે તેમ ગાયથી ઈતર ભેંસાદિમાં પણ રહે છે. આ રીતે “નીલરૂપવત્ત્વમ્' આ એક જ લક્ષણમાં બંને દોષનો સંકર થયો.
* એવી જ રીતે યાવ કેવલીને મોહનીયકર્મનો ઉદય ન હોવાથી કેવલીનું મોદનીયર્મવેત્ત્વમ્' આ લક્ષણ જેવી રીતે અસંભવ દોષવાળું છે, તેવી રીતે આવ્યાપ્તિ દોષવાળું પણ છે. કારણ કે લક્ષણ જો યાવ લક્ષ્યમાં ન ઘટતું હોય તો લક્ષ્યના એકદેશમાં પણ ન જ ઘટે. આ રીતે “મોહનીયર્મવેત્ત્વમ્' આ એક જ લક્ષણમાં બંને દોષનો સંકર થયો.
આમ અતિવ્યાપ્તિ વગેરે દોષો પરસ્પર સંકરીત થાય છે, તેથી ન્યાયબોધિનીકારે અતિવ્યાપ્તિ વગેરેનું પરસ્પર અસંકીર્ણ એવું નિષ્કૃષ્ટ લક્ષણ બનાવ્યું છે.