________________
(૪૮)
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ,
પેાતાના કબજે કરે છે તેમ તેને નીચ માણસે પેાતાને સ્વાધિન કરી લે છે. પુરૂષાને વિષે પુરૂષાર્થ ત્યાંજ સુધી ટકી શકે છે કે જ્યાં સુધી તે સ્ત્રીઓની ઉત્કૃષ્ટ ભ્રકુટીવડે વિધાણા નથી.
હવે રાજા નિરંતર કનકમજરીને ત્યાં જવા લાગ્યા તેથી અત્યંત ક્રોધયુક્ત હૃદયવાળી બીજી સર્વે સ્ત્રીએ કનકમંજરી ઉપર દ્વેષ કરવા લાગી સર્વે રાજસ્ત્રીઆની કળા, કુળ અને રૂપને અત્યંત તિરસ્કાર કરી ચિત્રાંગદ પુત્રી કનકમંજરીએ કથાના રસવર્ડ રાજાને વશ કર્યો કારણુ કામળ વાણી, નિદ્રવ્ય મુખમંડન, પવિત્ર લક્ષ્મીના મેળાપ એ સર્વ કાર્ય વિના પણ વશ કરવાનાં સાધન છે. પછી મહુ દ્વેષ થવાને લીધે તે સર્વે શાક્યો નિર ંતર ગુપ્ત રીતે કનકમ જરીનાં છિદ્ર ખાળવા લાગી.
''
હવે તે કનકમંજરી હંમેશાં મધ્યાહ્નને વખતે એકાંતમાં પેાતાનાં પૂર્વના વસ્રો પહેરી અને આરસામાં પોતાના આત્માને જોતી છતી પેાતાની નિંદા કરતી હતી. આ તેણીનુ છિદ્ર જોઇ બહુ હર્ષ પામેલી રાણીઓએ તુરત એકાંતમાં રાજા પાસે આવીને વિનંતિ પૂર્વક કહ્યું કે “હે સ્વામિન્ ! એ તમારી ક્ષુદ્ર સ્ત્રી નિર ંતર કામણ કરે છે. જો અમે ખાતુ ખેલતાં હાઇએ તે આપ પાતે મધ્યાહ્નને વખતે ત્યાં જઈ જુએ કે તે શુ જુએ છે.” સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી ભૂપતિ તે કનકમ’જરીનું સ્વરૂપ જાણવા માટે તે જ્યાં રહેતી હતી તે ઘર પ્રત્યે તેજ વખતે તુરત ગયા.
અહિં કનકમ જરી જ્યારથી રાજાને પરણી તે દિવસથી આરંભીને તે હમેશાં અપાર વખતે પેાતાના આત્માને શિખામણ આપતી. એવી રીતે કે ાતે એકાંતમાં જઇ, રાજાએ આપેલા વસ્ત્રાલ કારને ત્યજી દઇ અને પેાતાના પિતાએ આપેલા નિધ વસ્ત્રાદિકને ધારણ કરતી, તેમજ પેાતાના પૂર્વના કાચ અને કથિરના ઘરેણાને ધારણ કરીને તે ચિત્રાંગદ પુત્રી, પેાતાના આત્માને એવી રીતે પ્રતિખેાધ કરતી કે “ હું આ મન્! તું પેાતાના આ પૂર્વનાં આભરણાના વિચાર કરી અને આ રાજ્યલક્ષ્મીથી અનર્થકારી એવું માન ન કરીશ. હે જીવ! તું સ્વામીની સ ંપત્તિએ કરીને પોતાને ન ભૂલી જા, કારણુ મદ્ય અને વિષથી પણ માયાની મેહશક્તિ બહુ મ્હાટી છે. પતિની ભક્તિ વિના સ્ત્રીએ રૂપ, વશ, વેષ કે કામણે કરીને સુખી થતી નથી. વળી તેઓ શિયળ વિના અલંકાર, દિવ્ય વસ્ત્ર કે અંગકાંતિથી શૈાલતી નથી. ” વિવેકવાળી અને આત્માના વશીકરણ કાર્યને જાણનારી કનકમંજરી આ પ્રમાણે નિત્ય પેાતાના આત્માને શિખામણ દઈ અને પછી બીજું કાર્ય કરતી. આ વખતે ગુપ્ત રીતે છિદ્ર જોવા માટે આવેલા રાજા તેણીનું સર્વ વૃત્તાંત સાંભળી બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્ન થએલા રાજાએ તેણીને પટ્ટરાણી પદ આપ્યુ. કહ્યું છે કે—સ્રીઓની પતિને વિષે ભક્તિ એજ એક કાર્ય વિનાનું વશીકરણ છે. શાકયાને અત્યંત તાપ પમાડનારી કનકમંજરી ઉત્કૃષ્ટ ગુણને પામી. કહ્યુ` છે કે અગ્નિમાં તપાવેલું સુત્ર અધિક તેજવાળું થાય છે.